નવી દિલ્હીમાં ૧૧મા બ્રિકસસ્ત્ર કાનૂની મંચને સંબોધતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે એક મહત્વપૂર્ણ વિચાર રજૂ કર્યો. તેમણે કહ્યું કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ ફક્ત ભૌગોલિક નસીબ અથવા કુદરતી સંસાધનો પર આધાર રાખી શકતો નથી. મજબૂત અને ટકાઉ આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે, આપણને “ન્યાયશાસ્ત્ર” અથવા ન્યાયના અર્થશા†ની જરૂર છે.
સીજેઆઇ સૂર્ય કાંતે કહ્યું કે કાનૂની સંસ્થાઓ વિકાસની આસપાસ બનેલ માળખું નથી, પરંતુ વિકાસનો જ પાયો અને સ્થાપત્ય છે. જા આ પાયો દૂર કરવામાં આવે તો, ઉભરતી અર્થવ્યવસ્થાને માત્ર સારા નસીબના ઢગલા તરીકે જાવામાં આવશે, જે કોઈપણ મોટા સંકટમાં તૂટી શકે છે.
મુખ્ય ન્યાયાધીશે સમજાવ્યું કે જ્યારે અદાલતો ન્યાયી અને સુસંગત ચુકાદા આપે છે, ત્યારે લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ વધે છે. આ દરેક વ્યવસાયિક વ્યવહારની કિંમત ઘટાડે છે. તે બજારમાં બધા માટે સમાન તકો બનાવે છે, જે સીધા વેપાર અને અર્થતંત્રને વેગ આપે છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સહિત કોઈપણ બ્રિકસસ્ત્ર દેશે ફક્ત તેના સંસાધનોના બળ પર પ્રગતિ કરી નથી. આ દેશોનો વિકાસ તેમના વચનો અને કરારોને કાયદેસર રીતે કેટલી મજબૂતીથી લાગુ કરવામાં આવે છે તેના પર નિર્ભર છે.
તેમના ભાષણ દરમિયાન, સીજેઆઇએ “ન્યાય સેતુ” ની વિભાવના પણ રજૂ કરી. તેમણે કહ્યું કે તે એક એવો પુલ છે જે ૧૧ વિવિધ દેશોની કાનૂની પરંપરાઓને જાડે છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશો કોઈ ચમત્કારની રાહ જોવાને બદલે એકબીજા વચ્ચે વિશ્વાસનું વાતાવરણ બનાવે.










































