વરસાદ શરૂ થયા પછી જો ૧૫ થી ૨૦ દિવસનો લાંબો વિરામ પડે, તો પાકને બચાવવા આંતરખેડ કરી જમીનનો ભેજ જાળવવો જરૂરી છે. આવા સમયે ટપક પધ્ધતિથી પૂરક પિયત આપવું અને પાક પર ૧% પોટેશિયમ નાઈટ્રેટ કે ૨% યુરિયાનો છંટકાવ કરવાથી ફાયદો થાય છે. વધુમાં, ખેડૂતોને પરંપરાગત પિયત છોડીને ટપક કે સ્પ્રિંકલર પધ્ધતિ અપનાવવા, મલ્ચિંગ દ્વારા ભેજ જાળવવા અને ખેત તલાવડી તથા બોર રિચાર્જ કરવા અનુરોધ કરાયો છે.
હાલની પરીસ્થિતિમાં આંતર/ રીલે પાક પદ્ધતિથી ખેતીનું જોખમ ઘટાડીયે:
• આપણા દેશમાં સુકી ખેતી હેઠળનો વિસ્તાર ઘણો વિશાળ છે.
• આ વિસ્તાર કુલ વાવેતર વિસ્તારના લગભગ ૭૩% જેટલો છે.
• ગુજરાત રાજ્યમાં કુલ ખેતીલાયક જમીન પૈકી ૭૮ % જેટલો વિસ્તાર વરસાદ ઉપર આધારીત છે.
• રાજયના સુકા અને અર્ધ સુકા વિસ્તારમાં વરસાદ ખુબજ ઓછો અને અનિયમિત પડે છે.
• બે વરસાદ વચ્ચેનો ગાળો લંબાવવાથી જમીનમાં ભેજની ખેંચના કારણે તથા પાકની ભેજની અછત સામે ટકી રહેવાની શકિત ઓછી હોવાના કારણે પાક નિષ્ફળ જાય છે.
• આવા સંજોગોમાં કોઈ એક જ પાકની ખેતી કરવી હિતાવહ નથી, જેથી એક કરતા વધારે પાકોને એક સાથે વાવવામાં આવે તો પાકને નિષ્ફળતા સામે રક્ષણ મળી રહે છે.
• આંતર પાક અથવા તો મિશ્ર પાક પધ્ધતિ દેશમાં સુકી ખેતી વિસ્તારમાં વર્ષોથી અપનાવવામાં આવતી પધ્ધતિ છે.
• આ પધ્ધતિમાં એક સાથે એકથી વધુ પાકો અલગ અલગ હારમાં અથવા તો મિશ્ર કરીને વાવવામાં આવે છે.
• જમીનની ફળદ્રુપતામાં સુધારો અને પાક નિષ્ફળતાના જોખમમાં ઘટાડો એ આ પધ્ધતિના બે મુખ્ય હેતુ છે.
• હાલના સંજોગોમાં ખેતીમાં યાંત્રીકરણના વધતા વ્યાપને કારણે ખેડૂતો આ પધ્ધતિ ઓછા પ્રમાણમાં અપનાવે છે પરંતુ વૈજ્ઞાનિક અભિગમ સાથે આ પધ્ધતિ ખેડૂતોમાં વધુને વધુ પ્રચલિત થાય તે જરૂરી છે.
• આંતર પાક અથવા તો મિશ્રપાક પધ્ધતિ દેશમાં સુકી ખેતી વિસ્તારમાં વર્ષોથી અપનાવવામાં આવતી પધ્ધતિ છે.
• આ પધ્ધતિમાં એક સાથે એકથી વધુ પાક નિષ્ફળતાના જોખમમાં ઘટાડો એ આ પધ્ધતિના બે મુખ્ય હેતુ છે.
• હાલના સંજોગોમાં ખેતીમાં યાંત્રિકરણના વધતા વ્યાપને કારણે ખેડૂતો આ પધ્ધતિ ઓછા પ્રમાણમાં અપનાવે છે પરંતુ વૈજ્ઞાનિક અભિગમ સાથે આ પધ્ધતિ ખેડૂતોમાં વધુને વધુ પ્રચલિત થાય તે જરૂરી છે.
આંતર પાક એટલે શું ? એક જ ખેતરમાં એકી સાથે એક કરતા વધુ પાકોની વાવેતરને મિશ્ર પાક પધ્ધતિ કહેવાય છે. આ મિશ્ર પાક પધ્ધતિ આપણા સુકા અને અર્ધ સુકા વિસ્તાર માટે ઘણી પ્રચલિત છે. મિશ્ર પાક પધ્ધતિ જુદી જુદી રીતે અપનાવી શકાય છે. જેમ કે, એક જ હારમાં જુદા જુદા પાકોના બીજ મિશ્ર કરીને વાવવા અથવા દરેક પાકનું વાવેતર જુદી જુદી હારમાં કરવું જે ને આપણે સામાન્ય રીતે આંતરપાક પધ્ધતિ કહીએ છીએ.
આંતર પાક પદ્ધતિના લક્ષણો • આ પધ્ધતિમાં એક મુખ્ય પાક હોય છે. જયારે અન્ય ગૌણ પાક હોય છે.
• મુખ્ય પાક ઉપર ગૌણ પાક કરતા વધુ ધ્યાન આપવામાં આવે છે.
• મુખ્ય અને ગૌણ પાક વચ્ચે ખોરાક, પાણી અને પ્રકાશ માટે બિલકુલ હરિફાઈ થતી નથી.
• ગૌણ પાકો ટુંકાગાળાના હોવાથી મુખ્ય પાક કરતા વહેલા પાકી જાય છે જેથી કાપણીમાં સરળતા રહે છે.
• મુખ્ય પાકો સામાન્ય રીતે ગૌણ પાકો કરતા વહેલા વાવવામાં આવે છે.
• આંતર પાક પધ્ધતિમાં મુખ્ય પાક, ગૌણ કરતા વધુ જગ્યા તથા મહત્વ પામે છે તેથી જે કાંઈ પણ માવજત કરવામાં આવે છે. તેનો લાભ ગૌણ પાકને મળે છે જેથી ગૌણ પાકમાં વધારાનો ખેતી ખર્ચ થતો નથી.
આંતર પાક પધ્ધતિના ફાયદાઃ
૧) એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે.
૨) વરસાદ આધારીત ખેતીમાં અછત સમયે પાક નિષ્ફળનું જોખમ ઘટાડી શકાય છે. જ્યારે પિયત ખેતીમાં પહોળા અંતરે વાવેતર કરેલ પાકોમાં શરૂઆતની ધીમી વૃÂધ્ધ દરમ્યાન ટુંકાગાળાના આંતરપાક લઈ જમીન, ખાતર, પાણી અને મજુરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
૩) બે કે વધુ પાકો ખેતરમાં જુદા જુદા વાવવા કરતા સાથે હારમાં વવાતા હોવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
૪)કઠોળ પાકોનો આંતરપાકમાં સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
૫)આંતરપાક પધ્ધતિમાં છીંછરા અને ઉંડા મૂળ વાળા પાકોનું વાવેતર કરવાથી જમીનમાં જુદા જુદા સ્તરમાં રહેલ ફળદ્રુપતાનો લાભ પાકને મળી રહે છે.
૬)જમીનના ઉપરના હવામાનનો સંપૂર્ણ ઉપયોગ.
૭) વર્ષ દરમ્યાન ખેડૂત પોતાની જીવન જરૂરીયાત માટે સમતોલ આહાર, શાકભાજી, ફળફળાદી તેમજ પશુઓનો ઘાંસચારો મેળવી શકે છે. પોષણક્ષમ ન હોય ત્યારે આંતરપાકોમાંથી સારી આવક મેળવી સરેરાશ વધારે વળતર મેળવી શકાય છે. ૮) આંતરપાક પધ્ધતિમાં અમુક પાકો જમીન ઉપર પથરાતા હોવાથી ખેતર લાંબો સમય ઢંકાયેલું રહે છે જેથી પવન અને પાણી વડે થતું જમીનનું ધોવાણ અને ભેજ ઉડી જતો અટકાવી શકાય છે.
૯) એક જ પાકનું વાવેતર કરવાથી વાવણી, નિંદામણ, કાપણી અને અન્ય ખેતકાર્યો એક જ સમયે કરવાના થાય છે આથી મજૂરોની અછતને લીધે ખેત કાર્યો સમયસર કરી શકાતા નથી.
૧૦) વરસો વરસ એક જ પાકનું વાવેતર કરવાથી રોગ, જીવાત અને નિંદણોના તેમજ જમીનની તંદુરસ્તીના પ્રશ્નો ઉદભવે છે જે આંતરપાક પધ્ધતિ અપનાવવાથી અમુક અંશે નિવારી શકાય છે.
૧૧) આંતરપાક પધ્ધતિથી આખા વર્ષ દરમ્યાન જુદા જુદા સમયે જુદા જુદા પાકોના ઉત્પાદનમાંથી સમયાંતરે થોડી થોડી આવક મેળવી શકાય છે.
૧૨) આખા વર્ષ દરમ્યાન વધુ માણસોને રોજગારીમળી રહે છે.
૧૩) રોગ, જીવાત, નિંદામણ અને પ્રાણીઓ દ્વારા ઉત્પાદનમાં થતો ઘટાડો ઓછો કરી શકાય છે.
૧૪) આંતરપાક પધ્ધતિથી પાક ફેરબદલીના બધા જ ફાયદાઓ મેળવી શકાય છે.
૧૫) જે તે વિસ્તારમાં મુખ્ય પાકના વેચાણ ભાવમાં વધઘટ થતી હોય છે. અમુક વરસે જયારે મુખ્ય પાકોના બજાર ભાવ પોષણક્ષમ ન હોય ત્યારે આંતરપાકો માંથી સારી આવક મેળવી સરેરાશ વધારે વળતર મેળવી શકાય છે.
આંતરપાક પધ્ધતિની મર્યાદાઓ: આંતરપાક પધ્ધતિના ઘણા જ ફાયદાઓ હોવા છતાં તેની પણ કેટલીક મર્યાદાઓ છે. જેના કારણે ખેડૂતો ઘણીવાર આંતરપાક પધ્ધતિ અપનાવી શકતા નથી.
• કાપણી વખતે પાક મિશ્ર થવાનો સંભવ રહે છે.
• જ્યાં ખેતીનું સંપૂર્ણ યાંત્રિકરણ થયેલું હોય ત્યાં આંતરપાક, ખેતીના કાર્યોમાં અડચણ પેદા કરે છે.
• બીજ ઉત્પાદન કાર્યક્રમમાં આંતરપાકથી બીજની ભૌતિક શુધ્ધતા જળવાતી નથી.
• અમુક રોગ / જીવાતોને ટકી રહેવા માટે અનુકુળ વાતાવરણ અને ખોરાક મળી રહે છે.
• ગરીબ અને અભણ ખેડૂતોને આ પધ્ધતિ અપનાવવામાં મુશ્કેલી પડે છે.
આંતર પાકની પસંદગી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ
આપણે જયારે આંતર પાક પધ્ધતિ માટે જુદા જુદા આંતરપાકોની પસંદગી કરીએ ત્યારે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જેનાથી જમીન, ભેજ અને પોષક તત્વોનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.
૧) આંતરપાકનો જીવનકાળ મુખ્ય પાકના આયુષ્ય કરતા વધારે અથવા ઓછો હોવો જોઈએ. એટલે કે પસંદ કરેલ પાકો પૈકી અમુક પાકો લાંબા ગાળાના અને અમુક પાકો ટુંકા ગાળાના હોવા જોઈએ.
૨) સામાન્ય અને છીછરા મૂળ કરતા ઉંડા મુળવાળા પાકો પસંદ કરવા જોઈએ.
૩) આંતર પાકની સ્ફુરણ શક્તિ અને શરુઆતનો વૃિધ્ધિ દર ઝડપી હોવો જોઈએ જેથી નિંદામણને અવરોધી શકે.
૪) આંતરપાક મુખ્ય પાકની વૃધ્ધિને અવરોધ કરતો ન હોવો જોઈએ.
૫) આંતર પાક તરીકે મોટા ભાગે ઓછી ડાળીઓ અને ઓછો ધેરાવો ધરાવતી જાતો પસંદ કરવા જોઈએ.
૬) ધાન્ય વર્ગ સાથે કઠોળ વર્ગના પાકો લેવા જોઈએ.
૭) આંતરપાકની પાણી તથા પોષક તત્વોની જરૂરીયાત ઓછી હોય તેવા પાકો પસંદ કરવા જોઈએ.
૮) ટુંકા ગાળાના પાકોની કાપણી સરળતાથી કરી શકાય તેવા હોવા જોઈએ.
રીલે પાક પધ્ધતિ:
રીલે આંતર પાક પધ્ધતિમાં વાવેતર કરેલ મુખ્ય પાક ૪૫ થી ૬૦ દિવસનો થાય અથવા પાક પાકવાની અવસ્થાએ હોય પરંતુ મુખ્ય પાકની કાપણી કર્યા પહેલા ઉભા પાકમાં બે હર વચ્ચે બીજા પાકનું વાવેતર કરવામાં આવે છે. આમ મુખ્ય પાકની હાજરીમાં બીજા પાકને તેજ જમીનમાંના ભેજનો ઉપયોગ કરવાના હેતુથી ઉગાડવામા આવતા પાકને રીલે પાક પધ્ધતિ કહેવાય છે. રીલે પાક પધ્ધતિની ખાસિયતો: ૧) એક પાક પાકવાની તૈયારીમાં હોય ત્યારે બીજો પાક વાવવામાં આવે છે.
૨) આ પધ્ધતિ હાલમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં મગફળી – તુવેર માટે અપનાવવામાં આવે છે. જેમાં વરસાદની શરૂઆત થયે મગફળીની વાવણી કરવામાં આવર છે અને મગફળી ૪૫ થી ૬૦ દિવસની થાય ત્યારે જો વેલડી મગફળી હોય તો ત્રણ હાર બાદ તુવેરની એક હાર (૩ઃ૧) અને જો મગફળીની ઉભળી જાત હોય તો બે હારે તુવેરની એક હાર (૨ઃ૧) ના પ્રમાણે વાવેતર કરવામાં આવે છે.
૩) મગફળી પાકતા તેને કાઢયા પછી આંતર ખેડ કરીને જમીન, તુવેરના પાકને અનુકુળ બનાવવામાં આવે છે.
રીલે પાક પધ્ધતિના ફાયદા
૧) જમીનમાં સંગ્રહાયેલ ભેજનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
૨) વધારે ખાતરનો ઉપયોગ કર્યા વગર વધારાનું ઉત્પાદન મળે છે જેથી પ્રથમ પાકને આપેલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે.
૩)મગફળી જમીનમાં નાઈટ્રોજન ઉમેરે છે જેનો ઉપયોગ પણ પાછલા તુવેરનો પાક ઉપયોગ કરે છે. ?















































