સુરતમાં દર ગુરૂવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિચારોનું વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને આ ગુરૂવારે પ૭મો થર્સ ડે થોટ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મૂળ પોરબંદરના વતની અને દૂબઈ સ્થાયી થયેલા રિઝવાન આડતીયા ખાસ ઉપÂસ્થત રહ્યા હતા. આ તકે કિરણ મહિલા ભવન માટે ભૂમિપૂજન પ્રસંગે એકસાથે ર૧-ર૧ લાખના દાનનો સંકલ્પ દાતા ટ્રસ્ટીઓએ કર્યો હતો. ઉપરાંત ઈન્દુબેન છગનભાઈ શિંગાળાએ ૧૦ વાર ભૂમિદાનનો સંકલ્પ કર્યો હતો. આ તકે રૂમના દાતા અશોકભાઈ નારોલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને નરેશભાઈ લુણાગરીયા અને શારદાબેન પણ ખાસ હાજર રહ્યા હતા.