લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનક તળાવીયાના સઘન પ્રયાસોના ફળસ્વરૂપે લાઠી તાલુકાના હરસુરપુર અને બાબરા તાલુકાના ખીજડીયા જંક્શન ગામને જોડતા અગત્યના માર્ગને રીસર્ફેસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨.૨૦ કરોડનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરના પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. હરસુરપુર અને ખીજડીયા જંક્શન ગામ વચ્ચેનો આ રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્યના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને પગલે મંજૂર થયેલી ગ્રાન્ટ દ્વારા રોડનું સંપૂર્ણપણે રીસર્ફેસિંગ કરવામાં આવશે, જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે. આ વિકાસ કાર્યથી સમગ્ર પંથકના ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેઓએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે.










































