લાઠીના અલી ઉદેપુર ગામેથી સગીરાનું અપહરણ થતાં ચકચાર મચી જવા પામી છે.
સગીરાના પિતાએ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યો શખ્સ તેમની પુત્રીનું અપહરણ કરી ફરાર થઈ ગયો છે. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. કે. પાંડવ વધુ તપાસ ચલાવી રહ્યા છે.