બાબરા તાલુકાના નાની કુંડળ ગામે છેલ્લા બે મહિનાથી જીઓ ટાવરના ધાંધિયાને કારણે ગ્રાહકો ભારે પરેશાન થઈ રહ્યા છે. જવાબદાર અધિકારીઓને ગ્રાહકોના રિચાર્જ પૂરા થવાની તો જાણ હોય છે, પરંતુ નેટવર્ક અને કોલિંગની સમસ્યા ઉકેલવામાં તેમનું પેટનું પાણી પણ હલતું નથી. ગ્રાહકો મોંઘા દાટ રિચાર્જ કરાવે છે છતાં ૫ય્ તો દૂર, ૪ય્ ના પણ ફાફા પડી રહ્યા છે. એસી ઓફિસોમાં બેઠેલા અધિકારીઓની આ નિષ્ક્રિયતાને કારણે હવે કંટાળેલા ગ્રામજનો મજબૂરીમાં પોતાના નંબર અન્ય કંપનીમાં પોર્ટ (સ્દ્ગઁ) કરાવી રહ્યા છે.








































