અમરેલીના શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે ૧૪ એપ્રિલના રોજ ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ પ્રસંગે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઇજીજી ગુજરાતના વરિષ્ઠ પ્રચારક હરિશ રાવલે પ્રાર્થનાસભામાં પ્રેરણાત્મક પ્રસંગો દ્વારા વિદ્યાર્થીઓને ડા. આંબેડકરના જીવન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસીયા તથા વિલાસબેન વઘાસીયાએ હાજરી આપી હતી. સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.










































