ગુરુગ્રામના શિકોહપુર જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. રાઉસ એવન્યુ કોર્ટે રોબર્ટ વાડ્રા અને અન્ય નવ આરોપીઓ સામે દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધી છે અને તેમને સમન્સ જારી કર્યા છે. વાડ્રા સહિત નવ આરોપીઓને ૧૬ મેના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમીન કૌભાંડ કેસમાં, વાડ્રાના વકીલે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે ઈડ્ઢ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટને ધ્યાનમાં લેવી જાઈએ નહીં. તેમની સામે કોઈ મની લોન્ડરિંગનો કેસ નથી. ૧૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ, ઈડ્ઢ એ હરિયાણાના શિકોહપુર જમીન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.










































