સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સરકારી કર્મચારીને ફક્ત એટલા માટે કાઢી શકાતા નથી કારણ કે તેમની સામે ફોજદારી કેસ ચાલી રહ્યો છે, ખાસ કરીને જા કર્મચારીને તેમનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવી ન હોય. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને શીલ નાગુની બેન્ચે કોન્સ્ટેબલની બરતરફીને ગેરકાયદેસર ઠેરવી હતી કારણ કે તેને બરતરફી સમયે દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો અને આદેશ ફક્ત પેન્દ્દીંગ ફોજદારી કેસ પર આધારિત હતો.એક અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું, “અપીલકર્તાને તેમની નોકરીમાંથી એટલા માટે દૂર કરવામાં આવ્યા ન હતા કારણ કે તેમને કોઈ ફોજદારી આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ ફક્ત એટલા માટે કે તેમની સામે ફોજદારી કેસ પેન્ડિંગ હતો. તેમને પોતાનો કેસ રજૂ કરવાની તક પણ આપવામાં આવી ન હતી. અમને એવો કોઈ કાયદો જાવા મળ્યો નથી જે સરકારી નોકરીદાતાને એક દાયકાથી વધુ સમયથી પોલીસ વિભાગમાં કામ કરતા કર્મચારીને ફક્ત પેન્ડિંગ ફોજદારી કેસના આધારે બરતરફ કરવા અથવા દૂર કરવાનો અધિકાર આપે. તેથી, તેમને નોકરીમાંથી દૂર કરવાનો આ નિર્ણય વાજબી ઠેરવી શકાય નહીં.”જાકે, સુપ્રીમ કોર્ટે બે દાયકાથી વધુ સમય પછી પુનઃસ્થાપનનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને, પંજાબ સરકારને અપીલકર્તાને વળતર તરીકે ?૫ લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.નોંધનીય છે કે અપીલકર્તાને શરૂઆતમાં ૧૯૯૧માં પંજાબ પોલીસમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને પટિયાલામાં ફર્સ્ટ ઇન્ડિયન રિઝર્વ બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે નિમણૂક માટે પસંદ કરવામાં આવ્યા હતા. જાકે, ઓગસ્ટ ૨૦૦૨માં તેમને ફરજ પર જાડાવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી ન્યાયાધીશ બનવાની તૈયારી કરી રહેલા લોકોને નોંધપાત્ર રાહત મળી છે. હવે, ન્યાયાધીશ પરીક્ષાની તૈયારી કરનારાઓને ફક્ત એક વર્ષનો કાનૂની અનુભવ જરૂરી રહેશે.