દેશના સૌથી મોટા કાપડ કેન્દ્ર સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં વધુ એક મોટું ઉઠમણું સામે આવ્યું છે. રિંગરોડ સ્થીત સાંઈ દર્શન માર્કેટમાં આવેલી જય જિન ફેબ પેઢી સાથે જાડાયેલા વેપારી અને કાપડ દલાલ સામે કુલ ૩.૦૬ કરોડની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં અંદાજે ૩૪ વેપારીઓ આર્થિક નુકસાનનો ભોગ બન્યા છે.
મળતી માહિતી મુજબ, સાંઈ દર્શન માર્કેટમાં કાર્યરત જય જિન ફેબના પ્રોપ્રાયટર નિતેશ સાવરમલ અગ્રવાલ અને કાપડ દલાલ સુરેશલાલ ઓઘાનમલ લાખણકિયા દ્વારા વિવિધ વેપારીઓને સાડીઓ પર એમ્બ્રોઈડરી જોબવર્કના ઓર્ડર આપવામાં આવ્યા હતા. વેપારીઓએ વિશ્વાસ સાથે સમયસર કામ પૂર્ણ કરીને તૈયાર માલ પરત આપ્યો હતો, પરંતુ ત્યારબાદ ચુકવણી કરવામાં આવી નહોતી.
ફરિયાદ મુજબ માર્ચ ૨૦૨૫થી મે ૨૦૨૫ દરમિયાન અનેક એમ્બ્રોઈડરી ખાતેદારોને મોટા ઓર્ડર આપવામાં આવ્યા હતા. શરૂઆતમાં નિયમિત વ્યવહાર થતા હોવાથી વેપારીઓએ વધુ માલ સ્વીકાર્યો હતો. પરંતુ કામ પૂર્ણ થયા બાદ આરોપીઓએ ચૂકવણી ટાળવા માંડી હતી અને બાદમાં સંપર્ક તોડી નાખ્યો હતો.
વેપારીઓ દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં કોઈ ચૂકવણી ન થતાં અંતે જય જિન ફેબની દુકાન બંધ મળી હતી અને બંને આરોપીઓના મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યા હતા. આથી વેપારીઓને મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ હોવાની શંકા વધુ મજબૂત બની હતી.તપાસ દરમિયાન ખુલ્યું છે કે કુલ ૩૪ વેપારીઓની રકમ ફસાઈ ગઈ છે. એમ્બ્રોઈડરી જાબવર્કના બદલામાં ?૩.૦૬ કરોડથી વધુની ચૂકવણી બાકી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સુરતના ટેક્સટાઈલ બજારમાં ભારે ચિંતા અને ચર્ચા ઉભી કરી છે.
આ મામલે કતારગામ વિસ્તારમાં રહેતા વેપારી ધર્મેશ અમરશી વ†પરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ બેંક ટ્રાન્ઝેક્શન, વ્યવસાયિક લેવડદેવડ અને આરોપીઓના સ્થળ વિશે તપાસ કરી રહી છે.
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉઠમણાં અને છેતરપિંડીના બનાવોમાં વધારો જાવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના આવા કેસો વેપારીઓના વિશ્વાસને અસર કરી રહ્યા છે. વેપારીઓએ આવી ઘટનાઓથી બચવા માટે વધુ સાવચેતી રાખવાની જરૂર હોવાનું પણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.









































