સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામેથી એક દુઃખદ ઘટના સામે આવી છે. ખેતરમાં વીજ કનેક્શનના ટ્રાન્સફોર્મરનો વાયર (ડીડીઓ/ડીઓ) તૂટી જતાં તેને સરખો કરવા ગયેલા ખેડૂતને કરંટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ અંગે ઘનશ્યામભાઈ પુનાભાઈ રાદડિયા (ઉં.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, હસમુખભાઈ પુનાભાઈ રાદડિયા (ઉં.વ. ૫૫)ના ખેતરમાં વીજળીના ટ્રાન્સફોર્મરનો વાયર તૂટી ગયો હતો. વરસાદી માહોલ હોવાથી ભીના વાંસ વડે તેઓ વાયર બાંધવા ગયા હતા, તે સમયે ભીના વાંસમાંથી અચાનક વીજપ્રવાહ પસાર થતાં તેમને તીવ્ર વીજશોક લાગ્યો હતો. જેના કારણે તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રમેશભાઈ ભાનુભાઈ મારૂ વધુ તપાસ ચલાવી રહ્યા છે.