મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં મેયર પદને લઈને ગઠબંધન ભાગીદારો ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે દાવા અને પ્રતિ-દાવાઓ સામસામે આવી રહ્યા છે. શિવસેનાના બીએમસી જૂથના નેતા અમેય ઘોલેના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીના નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે યોજાયેલી મહાયુતિની બેઠક દરમિયાન મેયર પદ માટે અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી.
આ ફોર્મ્યુલા મુજબ, પહેલા અઢી વર્ષ માટે ભાજપ પાસે મેયર રહેશે, ત્યારબાદ દોઢ વર્ષ માટે શિવસેનાનો મેયર અને છેલ્લા દોઢ વર્ષ માટે ફરીથી ભાજપના મેયર રહેશે. અમેય ઘોલેનો દાવો છે કે આ ફોર્મ્યુલાના આધારે બધી સમિતિઓ પણ વિભાજિત કરવામાં આવી હતી. પરિણામે, શિવસેના મેયર પદના પોતાના હિસ્સા માટે મજબૂત રીતે દાવો કરશે.
આ દરમિયાન, ભાજપના નેતા અને મંત્રી આશિષ શેલારે આ દાવાઓને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે અનૌપચારિક ચર્ચાઓનું કોઈ મહત્વ નથી. જા મેયર પદ પર સત્તાવાર સંમતિ થઈ હોત, તો તેની જાહેરાત થઈ હોત. જો મુખ્યમંત્રી ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી શિંદે વચ્ચે કોઈ ઔપચારિક ચર્ચા કે પ્રસ્તાવ પર ચર્ચા થઈ હોય, તો બંને સત્ય જાહેર કરશે.
દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે સેના “ઓપરેશન ટાઇગર” દ્વારા યુબીટી શિવસેનાના લગભગ ૪૫ કાઉન્સિલરોને બીએમસીમાં લાવવાની તૈયારી કરી રહી છે. શિંદે સેનાનો ધ્યેય બીએમસીમાં પોતાની સંખ્યા વધારીને મેયર પદ પરનો પોતાનો દાવો મજબૂત કરવાનો છે.
હાલમાં, બીએમસીમાં ભાજપ પાસે ૮૯ કાઉન્સિલરો છે, શિંદે સેના પાસે ૨૯ છે, જેમને ૩૩નું સમર્થન છે, યુબીટી શિવસેના પાસે ૬૫ છે અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે ૩ છે. આનો અર્થ એ છે કે બીએમસીમાં મેયર પદને લઈને ભાજપ અને શિંદે સેના વચ્ચે આગામી દિવસોમાં ઝઘડો વધવાની શક્યતા છે. તાજેતરમાં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પીઆર એજન્સીને આપવામાં આવેલા ૨૫ લાખના કોન્ટ્રાક્ટ પર વિવાદ ફાટી નીકળ્યો હતો. વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈકરોના ટેક્સના પૈસાનો બગાડ થઈ રહ્યો છે.









































