એફિલ ટાવરમાંથી મહિલા સ્ટાફને દૂર કરવાના વિવાદ વચ્ચે, બોચાસન સ્થિત શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ આજે સ્પષ્ટતા કરી કે તેમના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન કોઈને પણ સ્મારકમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યો ન હતો. બીએપીએસએ જણાવ્યું હતું કે, મોટા પ્રતિનિધિમંડળને ધ્યાનમાં રાખીને, અન્ય મુલાકાતીઓને અસુવિધા ઓછી કરવા માટે એફિલ ટાવર ટીમ સાથે સંકલનમાં વહેલી સવારે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જા કે, સંસ્થાએ પરિસ્થિતિને કારણે થયેલી કોઈપણ અસુવિધા માટે દિલથી માફી માંગી અને પરસ્પર આદર અને સેવાના મૂલ્યો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. દરમિયાન, મહિલા સ્ટાફને ફરજ પરથી દૂર કરવાના આરોપો બાદ, એફિલ ટાવરના કર્મચારીઓએ વિરોધ કર્યો, મેનેજમેન્ટ પાસેથી માફી અને તપાસની માંગ કરી, અને પેરિસના મેયરે આ બાબતની તપાસનો આદેશ આપ્યો છે.
બીએપીએસ અનુસાર, પ્રતિનિધિમંડળનું કદ નોંધપાત્ર હતું. તેથી, એફિલ ટાવર ટીમ સાથે સંકલનમાં, સ્મારકના જાહેર ઉદ્ઘાટનના પ્રારંભિક કલાકો દરમિયાન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી અન્ય પ્રવાસીઓને ઓછામાં ઓછી તકલીફ ન પડે અને તેમની અવરજવરમાં ખલેલ ન પહોંચે. પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, તેમની જાણકારી મુજબ, પ્રવાસ દરમિયાન કોઈપણ સમયે કોઈને પણ એફિલ ટાવરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા ન હતા. જા કે, જા પરિસ્થિતિને કારણે કોઈને કોઈ અસુવિધા કે અગવડતા થઈ હોય તો તેણે માફી પણ માંગી હતી.
પેરિસમાં એફિલ ટાવર થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો હતો. કર્મચારીઓએ એક બેઠક અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ વિરોધ શનિવારે થયેલી મુલાકાત સાથે સંબંધિત હતો, જેમાં આશરે ૧૦૦ લોકોના હિન્દુ ધાર્મિક પ્રતિનિધિમંડળે એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન, કેટલીક મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું અને પુરુષ કર્મચારીઓને તેમની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો.
પ્રતિનિધિમંડળ બીએપીએસ સાથે જાડાયેલું હતું. આ જૂથ શનિવારે એફિલ ટાવર પર પહોંચ્યું હતું. પ્રતિનિધિમંડળ બીએપીએસ સાથે જાડાયેલું હતું. આ જૂથ પેરિસ નજીક એક મોટા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ફ્રાન્સ આવ્યું હતું. યુનિયનના પ્રતિનિધિઓનું કહેવું છે કે પ્રતિનિધિમંડળ પસાર થઈ રહ્યું હતું ત્યારે મહિલા કર્મચારીઓને તેમના ડ્યુટી સ્ટેશન છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. યુનિયને તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓની તૈનાતી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, અને તેના કારણે કર્મચારીઓમાં રોષ વધ્યો હતો. યુનિયનના પ્રતિનિધિ ડાયેન ડેવોઇને જણાવ્યું હતું કે આ ઘટના અંગે કર્મચારીઓનો ગુસ્સો ધીમે ધીમે વધતો ગયો અને આવી પરિસ્થિતિ ફરી ન બનવી જોઈએ.કર્મચારીઓએ માંગ કરી હતી કે ભવિષ્યમાં, કોઈપણ મહિલા કર્મચારીને ફક્ત તેમના લિંગના આધારે જવાબદારી કે કાર્યસ્થળથી વંચિત રાખવામાં ન આવે. બેઠકમાં એફિલ ટાવરને જાહેર જનતા માટે ખોલવામાં વિલંબ થયો. સ્મારક પર એક નોટિસ પણ લગાવવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓપરેશનલ કારણોસર એફિલ ટાવર નિર્ધારિત સમય મુજબ ખુલી શકશે નહીં. યુનિયનના જણાવ્યા મુજબ, મેનેજમેન્ટે આ ઘટના માટે કર્મચારીઓની માફી માંગી હતી. જા કે, કર્મચારીઓનું કહેવું છે કે માત્ર માફી માંગવી પૂરતી નથી અને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ થવી જાઈએ.