આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયા અને સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. જી.જે. ગજેરાના નેતૃત્વમાં અમરેલી જિલ્લાના આં.હિ.પ.ના કાર્યકર્તાઓ દ્વારા ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ૧૦૦ જેટલા મંદિરોમાં કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા પ્રસાદી રૂપે શ્રીફળ અને સાકર પડો અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી દ્વારા આગામી દિવસોમાં જન્માષ્ટમી મહોત્સવનો તહેવાર પણ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવોમાં જોડાવા હિન્દુ ભાઇઓને અનુરોધ કરાયો છે.