સ્વર્ગસ્થ પીઢ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી એશા દેઓલ બે વર્ષ પહેલાં ભરત તખ્તાનીથી છૂટાછેડા માટે સમાચારમાં હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે તે અને ભરત તખ્તાની હવે સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. એશા અને ભરતે ૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સોશિયલ મીડિયા પર શેર કરેલા સંયુક્ત નિવેદનમાં તેમના અલગ થવાની જાહેરાત કરી. જાકે, તેઓ તેમની બે પુત્રીઓ, રાધ્યા અને મીરાયાને સાથે ઉછેરવાનું ચાલુ રાખે છે. આ દરમિયાન, એશા દેઓલે છૂટાછેડા પછી તેના જીવનમાં પ્રેમ અને રોમાંસના અભાવ વિશે વાત કરી અને ભાર મૂક્યો કે તેણીને હજુ પણ પ્રેમ અને લગ્નમાં વિશ્વાસ છે.
કર્લી ટેલ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં, એશા દેઓલે લગ્ન, છૂટાછેડા અને પ્રેમ વિશે વાત કરી, અને કેવી રીતે, એક સેલિબ્રિટી તરીકે, તેણીએ તેના અલગ થવાના ભાવનાત્મક પડકારોનો સામનો કર્યો. આ વિશે બોલતા, એશાએ કહ્યું, “હું માનું છું કે પ્રેમ અને રોમાંસ કોઈપણ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ અને આવશ્યક બાબતો છે, અને હાલમાં, મારા જીવનમાં પ્રેમ અને રોમાંસનો અભાવ છે. મને રોમેન્ટીક રહેવું ગમે છે. હું રોમેન્ટીક-કોમેડી ફિલ્મો અને વાર્તાઓનો ચાહક છું. મને રોમેન્ટીક ગીતો અને પ્રેમ વાર્તાઓ પણ ગમે છે.”
એશા દેઓલ આગળ કહે છે, “આ બાબતો ક્યારેય બદલાતી નથી. બ્રેકઅપ થાય છે. મારા પહેલા બોયફ્રેન્ડ હતા અને તેમની સાથે બ્રેકઅપ થઈ ગયું. આ બધું થાય છે, પરંતુ પ્રેમ પ્રત્યેના મારા વિચારો પર તેનો કોઈ પ્રભાવ પડતો નથી. છેવટે, આપણે બધા હેમાજી અને ધર્મેન્દ્રજી વચ્ચેના બિનશરતી પ્રેમને જોઈને મોટા થયા છીએ. જાકે, એ પણ સાચું છે કે અલગ થવું ક્યારેય સરળ નથી. ભરત અને હું જાણતા હતા કે જાહેર વ્યક્તિઓ હોવાને કારણે, આપણે એક ચોક્કસ તબક્કામાંથી પસાર થવું પડશે અને તે બધા દરમિયાન આપણી ગરિમા જાળવી રાખવી પડશે.”
એશા દેઓલ અને ભરત તખ્તાનીના લગ્ન ૨૦૧૨ માં થયા હતા અને ફેબ્રુઆરી ૨૦૨૪ માં છૂટાછેડા થયા હતા. તેઓએ સંયુક્ત નિવેદન દ્વારા તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી, પરંતુ તેમના અલગ થવાનું કારણ જાહેર કર્યું ન હતું. એશાથી છૂટાછેડા પછી ભરત તખ્તાનીને મેઘા લાખાણીમાં ફરીથી પ્રેમ મળ્યો, એશા દેઓલ તેની પુત્રીઓ, રાધ્યા અને મીરાયાને ઉછેરવામાં વ્યસ્ત છે.















































