ગુજરાતમાં મંત્રીમંડળના સંભવિત વિસ્તરણની અટકળોએ જાર પકડ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના પાવરફુલ નેતાઓને સરકારમાં સ્થાન મળી શકે છે તેવી ચર્ચાઓ ટોચ પર છે. ગઈકાલે રાતે જ દિલ્હીમાં મોટી બેઠકો થઈ છે. ચર્ચા એવી છેકે, ધનતેરસના દિવસે આ લોકો શપથ પણ લઈ શકે છે. સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ હોવા છતાં, અહીંના જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણો હંમેશા મહત્વના રહ્યા છે. આગામી વિસ્તરણમાં જયેશ રાદડિયા, જીતુ વાઘાણી અને રીવાબા જાડેજા જેવા દિગ્ગજ નેતાઓને સ્થાન મળે તો તેના પાછળના રાજકીય કારણો શું હોઈ શકે, જાતિ સમીકરણને ધ્યાનમા રાખી કેબિનેટમા ધારાસભ્યોને સ્થાન મળવાની શક્યતા પ્રબળ છે. તેમા પણ સૌરાષ્ટ્રમા લેઉવા પટેલ અને કોળી પટેલ ફેક્ટર  ધ્યાનમા રાખવામાં આવી શકે છે. મધ્ય ગુજરાતમાથી સામાન્ય જ્ઞાતિના ધારાસભ્યને સ્થાન મળી શકે છે. તો સૌરાષ્ટ્ર પર વધુ ફોકસ રહેશે. સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાથી ક્ષત્રિય ચહેરાને તક આપવામા આવશે.જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના એક મજબૂત અને પ્રભાવશાળી નેતા છે. તેમના પિતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાનો સૌરાષ્ટ્રના ખેડૂતો અને પાટીદારોમાં ઊંડો પ્રભાવ રહ્યો છે. આ પ્રભાવને જાળવી રાખવા અને લેઉવા પાટીદાર મતોને અકબંધ રાખવા માટે જયેશ રાદડિયાને ફરી મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તેઓ અગાઉની સરકારોમાં પણ મંત્રી તરીકેનો અનુભવ ધરાવે છે. અનુભવી અને અસરકારક વહીવટકર્તા તરીકે તેમની ઓળખ છે. હાલમાં પાટીદાર સમાજમાં સૌરાષ્ટ્રમાં ગોપાલ ઈટાલિયાને ટક્કર આપી શકે તેવો કોઈ મજબૂત નેતા ન હોવાથી ભાજપ જયેશ રાદડિયાને સ્થાન આપી શકે છે.જયેશ રાદડિયાને સ્થાન મળવાથી રાજકોટ જિલ્લા અને આસપાસના વિસ્તારનું પ્રાદેશિક સંતુલન જાળવવામાં મદદ મળશે. જીતુ વાઘાણી ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. સંગઠન અને સરકાર બંનેમાં કામ કરવાનો તેમનો બહોળો અનુભવ છે.પ્રાદેશિક અને જ્ઞાતિગત પ્રતિનિધિત્વઃ જીતુ વાઘાણી ભાવનગર જેવા મહત્વના શહેરનું પ્રતિનિધિત્વ કરે છે અને રાજ્યમાં બ્રાહ્મણ સમાજના મોટા ચહેરા તરીકે ઓળખાય છે. તેમને સ્થાન મળવાથી સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત થશે.તેઓ લાંબા સમયથી પક્ષ સાથે જાડાયેલા છે અને વફાદાર વરિષ્ઠ નેતા છે. તેમને ફરી મંત્રીમંડળમાં લઈને તેમના અનુભવનો લાભ લેવાનો નિર્ણય થઈ શકે છે.  તેઓ ગુજરાત ભાજપ સંગઠનમાં ખૂબ જ સક્રિય રહ્યા છે. ૨૦૧૬ થી ૨૦૨૦ દરમિયાન તેમણે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળમાં ભાજપે ઘણી ચૂંટણીઓમાં સફળતા મેળવી હતી. તેઓ આ અગાઉ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. જિતુ વાઘાણી સૌરાષ્ટ્રના ભાવનગર પંથકમાં મજબૂત પકડ ધરાવતા વરિષ્ઠ અને અનુભવી નેતા ગણાય છે.રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટાયા છે અને તેઓ સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય (રાજપૂત) સમાજના યુવા અને આકર્ષક ચહેરા તરીકે ઉભર્યા છે. તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં ક્ષત્રિય સમાજના સમીકરણોને સાધવા માટે તેમનો સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. ભાજપ યુવા અને નવા ચહેરાઓને તક આપીને ભવિષ્યનું નેતૃત્વ તૈયાર કરવા માંગે છે. રીવાબા તેમાં એક યોગ્ય પસંદગી બની શકે છે.પ્રભાવશાળી ઓળખઃ ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની હોવાના કારણે તેમની એક રાષ્ટ્રીય સ્તરની ઓળખ પણ છે,