અમરેલીમાં આવેલી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.માંથી ખાતેદાર નરેશ ગીરધર વીસાણીએ રૂ.૧ લાખની લોન લીધી હતી જેના પેટે ખાતેદાર નરેશ સોલંકી લોનની રકમ લઈ નિયમિત હપતા ભરતો ન હોય અને રકમના ચેક આપેલ હતા જેથી આ ચેક પરત ફરતા મંડળીના ફિલ્ડ ઓફિસર જયદીપ નાકરાણીએ આ બાબતે અમરેલીની કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા અમરેલીના સિવિલ જજ અને એડી.ચીફ જયુ.મેજિ.એ ખાતેદાર નરેશ સોલંકીને એક વર્ષની સાદી કેદ અને રૂ.૧,૦૦,૧૯૩ના ૯% લેખે વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે. મંડળી તરફથી એડવોકેટ એ.સી.વરીયા રોકાયેલ હતા. કોર્ટના હુકમથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.