ભાવનગરના તળાજા તાલુકાના ટાઢાવડ ગામે રહેતા જીલુભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની ભત્રીજી શીતલબેન અમરસંગભાઈ ચૌહાણ (ઉ.વ.૨૩) ખાંભામાં રહીને નોકરી કરતી હતી. તે તેના વતનના ઘરેથી ખાંભા ગામે આવતા તબિયત સારી ન હોવાથી પ્રથમ ખાંભા સરકારી દવાખાને જઇ વધુ સારવાર માટે સાવરકુંડલા સરકારી દવાખાને લઈ ગયા હતા.
જ્યાં હાજર ડોકેટરે તપાસ કરી હાર્ટ એટેકથી મરણ થયાનું જાહેર કર્યુ હતું. યુવતીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.