બાબરા તાલુકાના કરીયાણા ગામે ૧૪ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, લાઠી- બાબરા- દામનગરના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ રાઠોડ, હિંમતભાઈ દેત્રોજા, રાજુભાઈ વિરોજા, હિતેશભાઈ કલકાણી, અશોકભાઈ રાખોલીયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભુતિયા, યુવા મોરચાના પ્રમુખ અમરશીભાઈ વાઘેલા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ ઝાપડિયા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી ધીરુભાઈ મેટાળીયા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.