જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયની સમીક્ષાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જા આપનાર બંધારણની કલમ ૩૭૦ને રદ્દ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ૧ મેના રોજ સુનાવણી થશે.
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બંધારણમાં જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત કલમ ૩૭૦ને લઈને પોતાનો ચુકાદો આપ્યો હતો. પોતાના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને બંધારણની કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને માન્ય ગણાવ્યો હતો. અગાઉ, ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર સંબંધિત બંધારણની કલમ ૩૭૦ ને તટસ્થ કરી દીધી હતી. આ નિર્ણય સામે ૨૩ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર સુપ્રીમ કોર્ટમાં ૧૬ દિવસ સુધી સુનાવણી ચાલી અને ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સુનાવણી પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કેન્દ્ર સરકાર વતી, ગૃહ પ્રધાન અમિત શાહે ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ બિલ રજૂ કર્યું હતું. આમાં જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું હતું. તે જ દિવસે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. ૬ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ, આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તે પસાર થયું હતું. તેને ૯ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ રાષ્ટÙપતિની મંજૂરી મળી, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જા દૂર કરવામાં આવ્યો.