બાળ કેળવણી મંદિર બગસરા સંચાલિત લાલચંદભાઈ વોરા બાલ ભવન બગસરા દ્વારા ગ્રીષ્મ બાળ સર્જન શિબિર આગામી તારીખ ૨૪ થી ૩૦ એપ્રિલ સુધી રાખેલ છે. જેમાં ૧૨પ બાળકો પાસે બાળવાર્તા, બાળ રમતો, વેસ્ટમાંથી બેસ્ટ, બાળ વિજ્ઞાન પ્રયોગ, ગણિત વિજ્ઞાનનાં પ્રયોગો, બાળ અભિનય ગીતો વગેરે
પ્રવૃત્તિઓ રાજકોટ, ભાવનગર, બોટાદ અને અમરેલી બાળ નિષ્ણાતો દ્વારા કરાવવામાં આવશે. આ બાબતે સંસ્થાના શુભેચ્છો અને બાળકોને પ્રોત્સાહિત કરવા આવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રફુલભાઈ સાવલિયાએ બાળ કેળવણીની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ શિબિરનો સમય સવારના ૯ થી બપોરના ૧૨ સુધી તથા બપોરના ૨ થી સાંજના ૫ સુધી રાખેલ છે. આ શિબિરમાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીઓ આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.