અમરેલીમાં સેવાનો ભેખ ધારણ કરનાર અને સેવા માટે અનેક લોકોને પ્રેરણા આપનાર સ્વ. ચંદુભાઈ સંઘાણીની દ્વિતીય પુણ્યતિથિએ વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. સેવા ટ્રસ્ટના સ્થાપક સ્વ. ચંદુભાઈ સંઘાણીની પુણ્યતિથિએ ગત તા.ર૮ના રોજ જીવરાજ મહેતા ચોક, રાજકમલ ચોક અમરેલી ખાતે ચકલીઓ માટે ચકલીઘર અને છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. ચંદુભાઈ સંઘાણીની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે મુકેશભાઈ સંઘાણી અને સમગ્ર સંઘાણી પરિવાર દ્વારા સારહિ તપોવન આશ્રમ ખાતે તપસ્વીઓ સાથે ભોજનનું આયોજન તેમજ મારૂતી ધૂન મંડળ જેશીંગપરા દ્વારા ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, સારહિ યુથ ક્લબના સભ્યો અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.