ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડની વાર્ષિક સામાન્ય સભા ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ મુંબઈમાં યોજાશે.બીસીસીઆઇ સચિવ દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટિ કરી. બોર્ડે તમામ ૩૮ રાજ્ય એકમોને એજીએમ વિશે પણ માહિતી આપી છે.એજીએમ એજન્ડામાં આંદામાન અને નિકોબાર ટાપુઓના ક્રિકેટ એસોસિયેશનને એસોસિયેટ સભ્યપદ આપવાનો પ્રસ્તાવ શામેલ છે. જૂનમાં બીસીસીઆઇ એપેક્સ કાઉન્સિલની બેઠકમાં પણ આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બીસીસીઆઇમાં એસોસિયેટ સભ્યોને મતદાનનો અધિકાર નથી. આ દરખાસ્ત પર અંતિમ નિર્ણય એજીએમમાં લેવામાં આવી શકે છે.એજીએમ દરમિયાન,આઇપીએલ ગવ‹નગ કાઉન્સિલમાં બે ચૂંટાયેલા પદો માટે પણ ચૂંટણીઓ યોજાશે. આમાં ગવ‹નગ કાઉન્સિલના ચેરમેનનું પદ પણ શામેલ છે. હાલમાં, અરુણ ધુમલ આઇપીએલ ગવ‹નગ કાઉÂન્સલના ચેરમેન છે.બીસીસીઆઇ ચૂંટણી અધિકારી એ.કે. જ્યોતિએ ચૂંટણી નોટિસ જારી કરી. નોટિસમાં બીસીસીઆઇના સંપૂર્ણ સભ્યો પાસેથી તેમના પ્રતિનિધિઓને મતદાર યાદીમાં સામેલ કરવા માટે અરજીઓ માંગવામાં આવી છે.
ચૂંટણી માટે પ્રતિનિધિઓને નામાંકિત કરવાની અંતિમ તારીખ ૩૧ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. માન્ય રીતે નામાંકિત ઉમેદવારોની યાદી ૧૧ સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. બંને પદો માટે ચૂંટણી બિનહરીફ થવાની ધારણા છે.એજીએમ એજન્ડામાં આઇપીએલ ગવ‹નગ કાઉન્સિલમાં ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રતિનિધિનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ પણ શામેલ છે. બીસીસીઆઈ લોકપાલ અને નૈતિકતા અધિકારીની નિમણૂક પણ એજન્ડામાં છે.આ મુદ્દાઓ એજીએમમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાના ક્ષેત્રો હશેઃ ૧૮ સપ્ટેમ્બરે મુંબઈમાં બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા આંદામાન અને નિકોબાર ક્રિકેટ એસોસિએશનને એસોસિએટ સભ્યપદ આપવાનો પ્રસ્તાવ
આઈપીએલ ગવ‹નગ કાઉન્સીલના બે પદો માટે ચૂંટણી આઈપીએલ ચેરમેન પદ માટે ચૂંટણી આઈપીએલ ગવ‹નગ કાઉÂન્સલમાં જાડાવા માટે આઈસીએ પ્રતિનિધિબીસીસીઆઈ લોકપાલ અને નૈતિકતા અધિકારીની નિમણૂક