અમરેલીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરિણામોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સંસ્થાના વડા વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ ધોરણ ૧૨માં ૬ વિદ્યાર્થીઓએ છ૧ અને ૨૪ વિદ્યાર્થીઓએ છ૨ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ધોરણ ૧૦માં ૨૬ વિદ્યાર્થીઓએ A1 અને ૮૦ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ
ઉત્કૃષ્ટ સિધ્ધિ બદલ સંસ્થાએ ધોરણ ૧૦માં A1 લાવનાર માટે ૧૦૦% ફી માફી અને ધોરણ ૧૨ના A1 ધારકોને ૧૦૦% ફી પરત કરવાની જાહેરાત કરી છે. વધુમાં,‘કન્યા કેળવણી યોજના’ હેઠળ હોસ્ટેલ ફીમાં રૂ.૧૫,૦૦૦ની વિશેષ રાહત પણ જાહેર કરાઈ છે.










































