અમરેલી જિલ્લાનાં વડિયામાં સુરવો નદીના કિનારે આવેલ સ્વામિનારાયણ દિવ્યધામના શિખર મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાના ૨૦ વર્ષ પૂર્ણ થતા વિસમો પાટોત્સવ, પ્રવેશદ્વારનું લોકાર્પણ અને દિવ્ય સત્સંગ કથાના આયોજન રૂપી ભવ્ય વિંશતિ મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યો છે. તેમાં દેશ વિદેશના સ્વામિનારાયણ મંદિરોના સંતો, હરિભક્તો અને ગ્રામજનો લાભ લઇ રહ્યા છે. આ મહોત્સવમાં વડિયા સ્વામિનારાયણ મંદિરના આનંદસ્વરૂપ દાસજીના સુમધુર કંઠે દિવ્ય સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે લોકજાગૃતિ માટે અંધશ્રદ્ધા નાબુદી અભિયાન અંતર્ગત જાદુના ખેલ , લોકડાયરા, રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાશે.