ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ભલે ખુલ્લા યુદ્ધમાં ફેરવાયો ન હોય, પરંતુ સરહદી વિસ્તારોમાં બંને દેશોની સૈન્ય ગતિવિધિઓ પર નજર વધી છે. આ દરમિયાન ગુજરાતના કચ્છ નજીક આવેલા સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી સૈન્ય તહેનાતી વધારવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.અહેવાલો અનુસાર પાકિસ્તાની નૌસેનાએ સર ક્રીક વિસ્તારમાં નામની કામગીરી શરૂ કરી છે. તેમાં મરીન કમાન્ડો, ડ્રોન, હોવરક્રાફ્ટ, સ્પીડ બોટ્સ અને અન્ય મેરિટાઇમ સર્વેલન્સ સાધનોનો ઉપયોગ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડિફેન્સ વિશ્લેષકોના મતે સર ક્રીકની ભૌગોલિક સ્થિતિ અત્યંત પડકારજનક છે. અહીં વિશાળ કાદવવાળા વિસ્તારો, દરિયાઈ ભરતી-ઓટ અને ચોમાસા દરમિયાન વધતું પાણી સૈન્ય કામગીરીને મુશ્કેલ બનાવે છે.
નિવૃત્ત કેપ્ટન જયદેવ જાશીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની તહેનાતી પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેમાં મુશ્કેલ ભૌગોલિક સ્થિતિનો લાભ લેવાની રણનીતિ, સંભવિત ખતરાની ધારણા, આંતરિક રાજકીય પરિÂસ્થતિ અને વ્યૂહાત્મક સંદેશ આપવાનો પ્રયાસ સામેલ હોઈ શકે છે.
નિવૃત્ત મેજર નીતિન મહેતાના મત મુજબ પાકિસ્તાનની પોતાની સૈન્ય ક્ષમતા હાલ ભારત સામે મોટા પાયે યુદ્ધ શરૂ કરવા માટે પૂરતી નથી. તેમના મતે ચીન અને તુર્કી જેવા દેશો પાસેથી મળતા સહયોગના કારણે પાકિસ્તાન પોતાની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યું હોઈ શકે છે.
સર ક્રીક અંગે ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ અગાઉ પણ પાકિસ્તાનને ચેતવણી આપી ચુક્યા છે. ભુજની મુલાકાત દરમિયાન તેમણે સર ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા વધારવામાં આવી રહેલા સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પાકિસ્તાન તરફથી કોઈ અવળચંડાઈ કરવામાં આવશે તો ભારત તેનો કડક જવાબ આપી શકે છે.હવે સર ક્રીકમાં પાકિસ્તાનની વધતી સૈન્ય હલચલને કેટલાક નિષ્ણાતો આ અગાઉની ચેતવણીના સંદર્ભમાં પણ જાઈ રહ્યા છે.
સર ક્રીક પાકિસ્તાનના કરાચી વિસ્તારની નજીક હોવાથી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિસ્તાર પરથી દરિયાઈ હલચલ અને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખી શકાય છે.આ ઉપરાંત પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ અને ચીન સાથેના વ્યૂહાત્મક સંબંધોને કારણે અરબી સમુદ્રમાં પાકિસ્તાનની મેરિટાઇમ ક્ષમતા ભારત માટે મહત્વનો સુરક્ષા મુદ્દો છે.પાકિસ્તાન હાલમાં આર્થિક અને રાજકીય પડકારોનો સામનો કરી રહ્યું છે. બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાહ સહિતના વિસ્તારોમાં સુરક્ષાને લગતી સમસ્યાઓ પણ યથાવત્ છે.
સર ક્રીકની સુરક્ષા માટે ભારત પહેલેથી જ બીએસએફ, ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડની હાજરી ધરાવે છે. સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેરિટાઇમ સર્વેલન્સને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યા છે.સૈન્ય નિષ્ણાતોના મતે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ બાબત પાકિસ્તાનની દરેક હિલચાલ પર સતત નજર રાખવી, દરિયાઈ સર્વેલન્સ વધારવું અને સર ક્રીક વિસ્તારમાં પોતાની વ્યૂહાત્મક હાજરી મજબૂત રાખવી છે. હાલની સ્થિતિને જાતા સર ક્રીકમાં પાકિસ્તાનની તહેનાતી ભારત માટે સીધા યુદ્ધનો સંકેત છે કે માત્ર વ્યૂહાત્મક દબાણ બનાવવાની કોશિશ, તે આગામી દિવસોની ગતિવિધિઓ પરથી વધુ સ્પષ્ટ થશે. ભારત માટે પડકાર માત્ર સર ક્રીકની સરહદની સુરક્ષા કરવાનો નથી, પરંતુ અરબી સમુદ્રમાં વધતી પાકિસ્તાની અને તેના સાથી દેશોની મેરિટાઇમ ક્ષમતાઓ પર પણ સતત નજર રાખવાનો છે.









































