ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત સેમિકનેકટ કોન્ફરન્સ ૨૦૨૬ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાત રાજ્યની ૨૦૨૬થી ૨૦૩૧ સુધીના સમયગાળા માટેની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (એસઆઇટી) નીતિ જાહેર કરી છે. આ નવી નીતિનો હેતુ ગુજરાતને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. રાજ્યના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવું આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે.
સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન નીતિનો ખાસ ભાગ છે. રૂપિયા ૧૦૦૦ કરોડનો “સ્વદેશી અનુસંધાન ફડ”, આ ફૂડ દ્વારા આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, કવાટમ ટેકક્નોલોજી, બાયોટેકક્નોલોજી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેક્નોલોજી, ઇમર્સિવ ટેક્નોલોજી અને અંતરિક્ષ જેવા મહત્વના ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન મળશે. દર વર્ષે ૧૦૦થી વધુ ગુણવત્તા સભર સંશોધન પ્રોજેક્ટ્સને મદદ મળશે.
ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર બનાવવામાં આવશે. જેની શરૂઆત ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાંથી થશે અને ત્યારબાદ વડોદરા-સુરત તથા રાજકોટ-ભાવનગર-જુનાગઢ- જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. અદ્યતન લેબ, ટેસ્ટિંગ સુવિધા અને ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે ઇનોવેશન અને હબ્સ ઉભા કરાશે.
આ પોલીસી અંતર્ગત માનવ સંસાધન વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં ૨૦૩૦ સુધી ૧ લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ લે છે. દર વર્ષે ૨૫૦ જેટલી જેઆરએફ,એસઆરએફ પીડીએફ ફેલોશિપ આપવામાં આવશે. “વુમન ઇન ઇનોવેશન” ફેલોશિપ, એકીકૃત ગુજરાત એચએન્ડડી પોર્ટલ અને રાજ્યવ્યાપી એસટીઇએમ પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સંશોધન તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે. વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે એસટીઇએમ લ‹નગ સેન્ટર્સનો વિસ્તાર કરવામાં આવશે. સાયન્સ સિટી અને જિલ્લા વિજ્ઞાન કેન્નેને વધુ સશક્ત બનાવાશે. મોબાઇલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ ગામડાં સુધી વિજ્ઞાન પહોંચાડવામાં આવશે અને અનુભૂતિ આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળશે.
રાજ્યમાં ૨૦૦થી વધુ આઇપી સુવિધા કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્ય છે, જેથી દર વર્ષે ૧૦૦૦થી વધુ બૌદ્ધિક સંપત્તિ નોંધણીઓ થાય, જેમાં ઓછામાં ઓછા ૫૦૦ પેટન્ટનો સમાવેશ થાય. આથી ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહકાર વધશે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા મજબૂત બનશે.
રાજ્ય ૨૦૩૦ સુધી એસટીઆઇ ક્ષેત્રમાં ખર્ચને જીએસડીપીના ૧% સુધી વધારશે. વિવિધ વિભાગોમાં ૧% આરએન્ડડી ફાળવણી ફરજિયાત અનાવવામાં આવશે.સીએસઆર દ્વારા પણ સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો આપવામાં આવશે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર આ નીતિ અમલમાં મૂકવા માટે નોડલ વિભાગ તરીકે કામ કરશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અમલી એજન્સી રહેશે. ગુજરાત સ્ટેટ રિસર્ચ ફાઉન્ડેશન અને નિષ્ણાતોની ટેકનિકલ સમિતિ માર્ગદર્શન આપશે.








































