આઇપીએલના સ્થાપક અને પ્રથમ ચેરમેન લલિત મોદી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. લલિત મોદીને ૨૧ જુલાઈના રોજ કોર્ટમાંથી ક્લીનચીટ મળી હતી. આ પછી, લલિત મોદીએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે ભારત પાછા ફરવાની જાહેરાત કરી છે.લલિત મોદીએ કહ્યું કે તેઓ ગઈકાલના ચુકાદાથી ખૂબ ખુશ છે. “ખરેખર, આ એક મહાન દિવસ રહ્યો છે.” તેમણે ૧૬ વર્ષ સુધી લડાઈ લડી, અને તેમણે મીડિયા અને બીજા બધાને જે કહ્યું તે બધું આખરે સાચું સાબિત થયું. તેઓ ખૂબ જ ખુશ છે કે ટ્રિબ્યુનલે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો છે. તેમને ફક્ત આઇપીએલના કલ્યાણની ચિંતા હતી, બીજું કંઈ નહીં. તેમના માટે એ જ સૌથી મહત્વપૂર્ણ છે. હવે તે પ્રકરણ પાછળ રહી ગયું છે, તેઓ તેમના જીવન સાથે આગળ વધશે.લલિત મોદીએ વધુમાં જણાવ્યું કે તેઓ ભારત પાછા ફરવાની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ કદાચ આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં પાછા ફરશે. તેમની પુત્રી ઓક્ટોબરમાં પુત્રની અપેક્ષા રાખી રહી છે, અને તેમને આશા છે કે બધું બરાબર થઈ જશે અને તેઓ ભારત પાછા ફરશે.
નોંધનીય છે કે લલિત મોદી છેલ્લા ઘણા વર્ષોથી ઇંગ્લેન્ડમાં રહેતા હતા. કરચોરી, મની લોન્ડરિંગ અને પ્રસારણ સોદાઓમાં હેરાફેરીનો આરોપ લાગ્યા બાદ તેમણે ૨૦૧૦ માં ભારત છોડી દીધું હતું. તેઓ ત્રણ વર્ષ સુધી આઇપીએલના સ્થાપક અને અધ્યક્ષ હતા. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ ફોરફિચર ઓફ પ્રોપર્ટી એક્ટ હેઠળની અપીલ ટ્રિબ્યુનલે લલિત મોદી અને અન્ય અપીલકર્તાઓને ૨૦૦૯ના આઇપીએલ સાઉથ આફ્રિકા ફેમા કેસમાં ઈડીના મોટાભાગના તારણો અને દંડ રદ કરીને નોંધપાત્ર રાહત આપી છે.આ કેસ ૨૦૦૯માં દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી આઇપીએલ સાથે સંબંધિત છે. લોકસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા ચિંતાઓને કારણે આઇપીએલની બીજી સીઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ આરોપ લગાવ્યો હતો કે બીસીસીઆઇએ ૨૦૦૯ના આઇપીએલ માટે આશરે ૪૯.૮ મિલિયન વિદેશમાં મોકલ્યા હતા. ઈડ્ઢ એ આરોપ લગાવ્યો હતો કે ભારતની બહાર આટલી મોટી રકમ મોકલતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી.