બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલી તેના પતિથી મુશ્કેલ છૂટાછેડા માટે સમાચારમાં છે. દરમિયાન, તેમણે મહિલાઓને એક વિનંતી કરી છે. તેમણે બધી મહિલાઓને લગ્ન પહેલા કરાર કરવા વિનંતી કરી છે.
એક ઇન્ટરવ્યુમાં, સેલિના જેટલીએ દાવો કર્યો હતો કે પીટરે તેમને તેમની અંગત મિલકત તેમના નામે ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. પરિણામે, તેમના છૂટાછેડા સમયે તેમની પાસે કંઈ બચ્યું ન હતું.તેથી, સેલિનાએ કહ્યું કે સ્ત્રિઓયે લગ્ન પહેલાં પ્રી-નપ પર સહી કરવી જાઈએ, ખાસ કરીને જેમની પાસે અંગત મિલકત હોય.સેલિના જેટલી મહિલાઓને અપીલ કરે છે કે તેઓ લગ્ન સમયે તેમની મિલકત તેમના નામે નોંધાયેલી રાખે.
તેણીએ કહ્યું, “હું સ્ત્રીઓને સલાહ આપીશ કે જા તમારી પોતાની મિલકત હોય, તો કૃપા કરીને પ્રી-નપ પર સહી કરો. લગ્ન પહેલાં હંમેશા પ્રી-નપ પર સહી કરો. તમારી મિલકત હંમેશા અલગ રાખો. કારણ કે, તમે જાણો છો, અંતે, બધું મિલકત પર આધારિત છે.” બધો પ્રેમ, બધી કાળજી, સાથે રહેવાના વચનો, બાળકો, મૃત્યુ અને જન્મ – બધું આખરે મિલકત પર આધારિત છે. આ જ વાત મને સૌથી વધુ દુઃખી કરે છે.
આ વર્ષના મે મહિનામાં, મુંબઈ સ્થિતિ કાયદાકીય પેઢી સેમવાલ એન્ડ કંપનીએ અહેવાલ આપ્યો હતો કે સેલિનાને તેના અલગ થયેલા પતિ પીટર હાગ અને તેના પિતા વુલ્ફગેંગ જે. હાગ તરફથી કાનૂની નોટિસ મળી હતી. આ નોટિસોએ તેના પર છૂટાછેડા અને બાળકોની કસ્ટડીની કાર્યવાહી દરમિયાન ઇન્ટરવ્યુમાં અને સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકયો હતો.