અનંત અંબાણીએ તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કરી ૨૫ હાઈટેક ઇલેક્ટ્રિક બસો દાન કરવાની જાહેરાત કરી છે.૨૭.૫ કરોડની આ બસો સાથે ૫૦ ડ્રાઇવરોનો ખર્ચ અને ચા‹જગ સ્ટેશન પણ રિલાયન્સ ઉઠાવશે. રવિવારે વહેલી સવારે સુપ્રભાત સેવા બાદ આ સેવા સંકલ્પ લેવાયો, જે ભક્તો માટે પર્યાવરણને અનુકૂળ પરિવહન સુવિધા સુધારશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર અનંત અંબાણીએ તિરૂમલા સ્થિત ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી (તિરૂપતિ બાલાજી) ના મંદિરે દર્શન કરીને એક મોટો સેવા સંકલ્પ લીધો છે. રવિવારે વહેલી સવારે મંદિરમાં સુપ્રભાત સેવા દરમિયાન ભગવાનના દર્શન કર્યા બાદ, તેમણે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ ને અંદાજે ૨૭.૫ કરોડની કિંમતની ૨૫ હાઇટેક ઇલેક્ટ્રિક બસો દાનમાં આપવાની જાહેરાત કરી છે. અંબાણી પરિવારની આ પહેલ શ્રદ્ધાળુઓ માટે પરિવહન સુવિધા સુધારવાની સાથે પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ એક મોટું પગલું માનવામાં આવી રહી છે.
અનંત અંબાણીએ જાહેરાત કરી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માત્ર અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો જ પૂરી નહીં પાડે, પરંતુ આ બસો ચલાવવા માટે જરૂરી ૫૦ ડ્રાઇવરોના પગાર અને ભથ્થાનો સંપૂર્ણ ખર્ચ પણ પોતે જ વહન કરશે. આ નિર્ણયથી મંદિર પ્રશાસન પરનો આર્થિક બોજ હળવો થશે અને લાખો ભક્તોને વધુ સુવિધાજનક અને સુગમ યાત્રા મળી શકશે. દર્શન બાદ વૈદિક વિદ્વાનોએ અનંત અંબાણીને આશીર્વાદ આપ્યા હતા અને મંદિર પ્રશાસન દ્વારા તેમને શ્રીવારી તીર્થ પ્રસાદ અને રેશમી વ† ભેટ આપીને સન્માનિત કરાયા હતા.
આ ગ્રીન મોબિલિટી અભિયાન હેઠળ, રિલાયન્સ કંપની તિરૂમલા ખાતે આ ઇલેક્ટ્રિક બસો માટે જરૂરી ચા‹જગ સ્ટેશનો સ્થાપવાની જવાબદારી પણ નિભાવશે. આનાથી તિરૂપતિ-તિરૂમલા માર્ગ પર ડીઝલ વાહનો પરની નિર્ભરતા ઘટશે અને આખા વિસ્તારમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં મદદ મળશે. આ પહેલ રિલાયન્સની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી નો એક મહત્વપૂર્ણ ભાગ છે.
અનંત અંબાણીએ તાજેતરમાં જ તિરૂપતિમાં પરંપરા અનુસાર મુંડન કરાવીને પોતાના વાળ પણ દાન કર્યા હતા. હવે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઇલેક્ટ્રિક બસો દાન કરવાની આ જાહેરાતે તેમની ધાર્મિક યાત્રાને સામાજિક સેવા સાથે જાડી દીધી છે. ના અધિકારીઓએ આ સહયોગને આવકારતા જણાવ્યું છે કે, આ આધુનિક વ્યવસ્થાથી દેશ-વિદેશથી આવતા લાખો ભક્તોની સફર વધુ આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ બનશે.