મગફળી : મગફળીમાં કેલ્શિયમની ઉણપનાં કારણે પણ ડોડવા કાળા પડતા હોય છે તેના માટે બજારમાં મળતા કેલ્શિયમ, બોરોન અને ઝીન્કનું મિશ્રણ મળે છે. પંપમાં ૨૦ મિ.લિ. નાખી ૪૫ થી ૬૦ દિવસ વચ્ચે છંટકાવ કરવો.
ફૂગ માટે મેટાલેક્ઝીલ+મેન્કોઝેબ અથવા કોપરઓકઝીકલોરાઈડ + મેટાલેક્ઝીલનું ડ્રેન્સિંગ કરવું.
પ્લાસ્ટીક મલ્ચના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાના મુદૃઓ –
ચોરસના બદલે ગોળ કાણાં કરવાથી પ્લાસ્ટીક ફાટતું નથી.
આવરણથી ફકત ભેજનો સંગ્રહ થાય છે. પાકના પાણીની સંપૂર્ણ જરૂરિયાત પૂરી કરી શકાતી નથી.
જમીનમાં ભેજ હોય ત્યારે આવરણ વધુ અસરકારક રહે છે.
પ્લાસ્ટીકને યોગ્ય પકડ મળી રહે તે માટે તેની કિનારી ઉપર ૧૦-૧પ સે.મી. માટીનો થર ચઢાવવો અથવા તેની ધાર જમીનમાં દબાવવી.
પ્લાસ્ટીક થોડું ઢીલું રહે તેમ જમીન પર પાથરવું પરંતુ જમીન અને પડ વચ્ચે શકય તેટલી ઓછી હવા રહે તે ધ્યાનમાં રાખવું. આવરણ છોડના થડથી થોડું અંતર રાખવું.
ક્રમ : ૧ – ફિલ્મની જાડાઈ (માઈક્રોન) , ૧પ/રપ (મલ્ચનું આયુષ્ય: ૩-૪ માસ) – પાકની ભલામણ :ટૂંકી મુદતનાં પાકોઃ રીંગણ, ટમેટા, બટેટા, ભીંડો, કાકડી, કેપ્સીકમ, વટાણા, સોયાબીન, કોબીજ, ફલાવર, મૂળા, બીટ, તરબૂચ, તુરીયા વગેરે
ક્રમ : 2- ફિલ્મની જાડાઈ (માઈક્રોન) ,50 – પાકની ભલામણ :મધ્યમ મુદતનાં પાકોઃ પપૈયા, ગલગોટા, શેરડી, અનાનસ, અન્ય ફળ ફૂલ
ક્રમ : 3- ફિલ્મની જાડાઈ (માઈક્રોન) ,100 – પાકની ભલામણ :૩ ૧૦૦ લાંબી મુદતનાં પાકોઃ કેરી, નાળીયેરી, ચીકુ, જામફળ, દ્રાક્ષ, બોર, સફરજન, અન્ય વૃક્ષ પ્રકારનાં પાકો
સોયાબીનમાં આવતી મુખ્ય જીવાત:
હાલ ઝરમર વરસાદથી લશ્કરી ઈયળ/ સેમીલુપર આવવાની શક્યતા છે તેના નિયંત્રણ માટે –
પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.
મોઝણી માટે ફેરોમન ટ્રેપ ૬ પ્રતિ હેક્ટર ગોઠવવા.
કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૨૦ એસસી ૩ મિ.લિ. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ પૈકી કોઈ૫ણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ફૂગ: હાલના વાતાવરણમાં ફૂગ આવવાની શક્યતા છે તે માટે –
નાઈટ્રોજનયુકત ખાતરો (નાઈટ્રોજન ટકામાં)
ફિલ્મની જાડાઈ (માઈક્રોન)
પાકની ભલામણ :એમોનિયમ :20.6
એમોનિયમ નાઈટ્રેટ :૩૩.૦૬
યુરિયા :૪૬.૦
કેલ્શીયમ એમોનિયમ નાઈટ્રેટ : ર૬.૦
ફોસ્ફરસયુક્ત ખાતરો (ફોસ્ફોરીક અમ્લ ટકામાં)
સુપર ફોસ્ફેટ : સિંગલ ૧૬, ટ્રીપલ ૪૮
ડોયકેલ્શીયમ ફોસ્ફેટ :૩ર
બેઝીક સ્લેગ : ર૩-૩૦
બોન મીલ(કાચુ) : ર૦
બોન મીલ(સ્ટીમ્ડ): રર
પોટાશયુક્ત ખાતરો(પોટાશ ટકામાં)
પોટેશિયમ કલોરાઈડ (મ્યુરેટ ઓફ :પ૮-૬૦
પોટેશિયમ સલ્ફેટ : પ૮-૬૦
વિવિધ પ્રકારની ફૂગ જેવી કે બ્યુવેરીયા બાઝિયાના, મેટારીઝીયમ એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની અને નોમુરીયા રિલે જીવાત નિયંત્રણ માટે અસરકારક માલૂમ પડેલ છે. આવી એન્ટોમોપેથોજેનીક ફૂગ કીટકના સંપર્કમાં આવતા તેના પર પરજીવીકરણ કરી તેમાં રોગ ઉત્પન્ન કરે છે. કીટકના શરીરની બહારની ત્વચા ભેદી ફૂગની કવકજાળ કીટકની દેહગુહામાં દાખલ થાય છે. તે ઉપરાંત આવી ફૂગ કેટલાક ખાસ પ્રકારના ઝેરી પદાર્થ પણ ઉત્પન્ન કરે છે. તેથી કીટક મૃત્યુ પામે છે. ફૂગની અસરકારક વૃદ્ઘિ માટે નીચું તાપમાન તથા ભેજવાળું વાતાવરણ જરૂરી છે. આ ફૂગની અસરકારકતા પાન ઉપર નુકસાન કરતાં જમીનની અંદર રહેતા કીટકની ઉપર વધુ જોવા મળે છે. બ્યુવેરીયા તથા મેટારીઝીયમ ફૂગ બહુભોજી કીટનાશક હોવાથી ૧૦૦ થી વધુ પ્રકારના કીટકોના નિયંત્રણ ઉપયોગી જોવા મળેલ છે. મગફળીના પાકમાં ધૈણના નિયંત્રણ માટે મેટારીઝીયમએનીસોપ્લીના પરિણામો આશાસ્પદ જણાયેલ છે.
પાક સંરક્ષણ:રોગ:જાંબલી ધાબાનો રોગ (પરપલ બ્લોગ): આ રોગમાં પાન ઉપર જાંબલી રંગના ધાબા જોવા મળે છે અને આવા ધાબાની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે અને પાન સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭પ વે.પા. અથવા કલોરોથેલોનીલ ૭પ વે.પા. ૧૦ લિટર પાણીમાં ર૭ ગ્રામ અથવા કાર્બેન્ડાએઝીમ પ૦ વે.પા. ૧૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ દવા ભેળવી વારાફરતી ર થી ૩ છંટકાવ ૧૦-૧૦ દિવસના અંતરે કરવા.
જીવાત: થ્રીપ્સ:- પુખ્ત કિટક પાનમાંથી રસ ચૂસી ઘસરકા પાડે છે. રસ ચૂસેલો ભાગ સફેદ થઈ કોકડાઈને સુકાઈ જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં અથવા ફીપ્રોનીલ પ ઈ.સી. અથવા કાર્બોસલ્ફાંન રપ ઈ.સી. ર૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી ૮ થી ૧૦ દિવસના અંતરે છંટકાવ કરવા.
કઠોળના પાકોમાં મૂલ્યવર્ધક બનાવટો: કઠોળમાંથી સામાન્ય રીતે દાળ કે બેસન (લોટ) મેળવવામાં આવે છે. અમુક જાતના આખા કઠોળનો સીધો ઉપયોગ પણ કરાય છે. વળી આવા કઠોળને પાણીમાં ભીંજવી, સુકવી, તળી અને મરી-મસાલાયુક્ત નાસ્તાની આઈટમ તરીકે પણ ઉપયોગ કરી શકાય (મગ, ચણા, ચોળી વગેરે). જયારે ચણા જેવા
બનાવવા માટે જો આધુનિક પદ્ધતિઓ અને રીતોનો ઉપયોગ કરવામાં આવે તો દાળની રિકવરી તથા કવોલિટી સારી મળે છે.
જુદા જુદા પાકોમાં મૂલ્યવૃદ્ધિ: તેલીબિયાંના પાકોમાં મૂલ્યવૃદ્ધિ મગફળી જેવા કિમંતી તેલીબિયાંમાંથી તેલ ઉપરાંત તેનું ગ્રેડિંગ કરી એચપીએસ દાણા તરીકે નિકાસ કરી શકાય અથવા તેમાંથી શેકેલ શીંગ, ખારીશીંગ કે તેને તળી મસાલાયુક્ત શીંગ બનાવી શકાય. તેલ કાઢ્યા બાદ નીકળતી કેક્માંથી પ્રોટીન છૂટું પાડી તેનું પણ વધારાનું મૂલ્ય મેળવી શકાય છે. તદ્દઉપરાંત તેમાંથી દૂધ, માખણ, પનીર, દહીં તેમજ અન્ય દૂધયુક્ત બનાવટો પણ બનાવી શકાય છે. જેનો સીધી કે આડકતરી રીતે ચોકલેટ, બિસ્કીટ વગેરેની બનાવટમાં ઉપયોગ થાય છે. એ જ રીતે અન્ય ખાદ્ય તેલીબિયાંમાં પણ પ્રોટીન, વેજીટેબલ ઘી તેમજ અન્ય બનાવટો બનાવવામાં આવે છે. વળી એરંડા જેવા અખાદ્ય તેલીબિયાંમાંથી ઘણી જાતના રસાયણો મેળવવામાં આવે છે. જેની વધારાની કિંમત મેળવી શકાય છે.
ધાન્ય પાકોમાં મૂલ્યવૃદ્ધિ: ડાંગરમાંથી ચોખા મેળવવાની રીત જૂની તથા પ્રચલિત છે. જો રાઈસ હલરની જગ્યાએ રબર રોલર શેલીંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે તો ભાંગતૂટ વગરના ચોખા મળે છે વળી ભૂંસુ પણ યોગ્ય સ્થિતિમાં મળતા તેમાંથી તેલ કાઢી તેનો ઔદ્યોગિક સ્તરે ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત ચોખા, મકાઈ, ઘઉં વગેરેમાંથી પૌવા કે મમરા પણ બનાવી ગ્રામ્ય સ્તરે રોજગારીની તકો ઉભી કરી શકાય. ઘઉં જેવા ધાન્ય પાકોમાંથી પણ તેનો લોટ, મેંદો, સુજી, રવો, વિટામીન – ઈ યુક્ત તેલ, ગ્લુટેન, સ્ટાર્ચ છુટા પાડી તેમાંથી વધારાની આવક મેળવી શકાય. મકાઈમાંથી પણ ઘણા બધા મૂલ્યવર્ધક બનાવટો મેળવી શકાય છે જેમ કે મકાઈનું તેલ, પૌવા તથા અન્ય નાસ્તાની બનાવટો, પીણા, ચોકલેટ, સ્ટાર્ચ, સોરબીટોલ, ડેક્સટ્રોઝ, સાઈટ્રીક એસિડ વગેરે. આ જ રીતે જુવાર અને બાજરા જેવા ધાન્ય પાકોમાંથી પણ વિવિધ પદાર્થો મેળવવામાં આવે છે.








































