પાકિસ્તાન તરફથી સંભવિત ઘૂસણખોરી અંગેના ઇનપુટ્સને પગલે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓને માહિતી મળી છે કે પાકિસ્તાન આર્મી અને તેની ગુપ્તચર એજન્સી,આઇએસઆઇ, ઘૂસણખોરીનો પ્રયાસ કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને, સરહદ પર સતર્કતા વધારીને, તમામ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર,બીએસએફ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને અન્ય અર્ધલશ્કરી દળો દિવસ-રાત પાકિસ્તાન તરફ વહેતી નદીઓ અને નાળાઓ, સંભવિત ઘૂસણખોરી માર્ગો અને સરહદી ખેતરો પર નજર રાખી રહ્યા છે. ઘણા સ્થળોએ કાયમી ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં કોઈપણ શંકાસ્પદ વ્યÂક્તઓને ભારતીય સરહદમાં પ્રવેશતા અટકાવવા માટે મુલાકાતીઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી અનુસાર,બીએસએફ એ પ્રાથમિક સ્તરે સરહદ સુરક્ષા સંભાળી લીધી છે, જ્યારે વધારાના બીએસએફ કર્મચારીઓ સાથે એસઓજીનું સંયુક્ત પેટ્રોલિંગ પણ ચાલુ છે. આ ઉપરાંત, સેનાની Âક્વક રિએક્શન ટીમ પણ સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી છે.
સૂત્રો દર્શાવે છે કે સાંબા સેક્ટર હંમેશા પાકિસ્તાની સેનાની નજર હેઠળ રહ્યું છે. આ વિસ્તારમાંથી ઘૂસણખોરીના અનેક પ્રયાસો સફળ રહ્યા છે. અગાઉ ઝીરો લાઇન નજીક કાંટાળા તારની વાડ કાપીને નદીઓ અને નાળાઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા છે. બાદમાં, સુરક્ષા દળોની કડકતાને કારણે, સુરંગ ખોદીને ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ બે લોન્ચિંગ પેડ સ્થાપિત કર્યા છેઃ એક રામગઢની સામે લહરી કલાનમાં અને બીજું બોવિયા અને ચક સદ્દાની સામે સુકમાલમાં. બંને લોન્ચિંગ પેડ ભૂતકાળમાં ખૂબ સક્રિય રહ્યા છે.
સૂત્રો અનુસાર, ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ પાછળના એક ગામમાં આતંકવાદીઓને રાખ્યા છે. સરહદની તપાસ બાદ, એવી માહિતી મળી છે કે તેઓ ઘૂસણખોરી કરી શકે છે. દરમિયાન, ભારતીય સુરક્ષા દળો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ સંભવિત પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સતર્ક છે.








































