જુનાગઢ જિલ્લાના માખીયાળા ગામે એસટી બસનો સ્ટોપ ન મળતા વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને આંદોલન શરૂ કર્યું હતું. બસો ગામમાંથી પસાર થતી હોવા છતાં વિદ્યાર્થીઓને સ્ટોપ આપવામાં આવતો ન હોવાથી તેમને શાળા-કોલેજ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનો પણ આંદોલનમાં જાડાયા હતા.
માખીયાળા ગામમાંથી પસાર થતી એસટી બસો ત્યાં નિયમિત રીતે ઊભી રહેતી ન હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી. અભ્યાસ માટે અન્ય સ્થળે જતાં વિદ્યાર્થીઓને બસની સુવિધા મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યાના ઉકેલ માટે અગાઉ પણ એસટી વિભાગ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા અંતે વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
વિદ્યાર્થીઓના આંદોલનને ગામના સ્થાનિક લોકોનું પણ સમર્થન મળ્યું હતું. બસનો સ્ટોપ વિદ્યાર્થીઓ ઉપરાંત સમગ્ર ગામ માટે જરૂરી હોવાથી ગ્રામજનોએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. આંદોલન દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય કાંતિ ગજેરા પણ સ્થળ પર જાડાયા હતા અને વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોની રજૂઆતને સમર્થન આપ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ માખીયાળામાં એસટી બસોને સ્ટોપ આપવા અંગે અગાઉથી રજૂઆતો કરવામાં આવી રહી હતી. તેમ છતાં બસ સ્ટોપની સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને અભ્યાસ માટે નિયમિત મુસાફરી કરતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધા મહત્વની હોવાથી આ પ્રશ્નને લઈને સ્થાનિકોમાં નારાજગી જાવા મળી હતી.
વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના આંદોલન બાદ એસટી વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે ખાતરી આપવામાં આવી હતી. વિભાગ દ્વારા માખીયાળા ખાતે તમામ લોકલ એસટી બસોને સ્ટોપ આપવાની બાંહેધરી આપવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં બસ સ્ટોપ પર બસો ન રોકાય તો જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.
એસટી વિભાગની બાંહેધરી બાદ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ રાહત અનુભવી છે. હવે માખીયાળા ખાતે લોકલ બસો નિયમિત રીતે રોકાય અને વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને મુસાફરીની સુવિધા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે, આપવામાં આવેલી બાંહેધરીનો અમલ કેટલો અસરકારક રીતે થાય છે તેના પર હવે સૌની નજર રહેશે.










































