બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે ધો.૧૦ના બાળકોના વાલીઓની એક મીટીંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષિકા દીપાબેન ગોહિલે બાળકોના વાલીઓનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. જયારે શિક્ષક સ્નેહી પરમારે શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિની સમજ આપી હતી. શાળાના આચાર્ય વી.કે.જેઠવાએ વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બાળકો બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો વાલીઓની ફરજ છે કે તેને મોબાઈલના આ વ્યસનથી દુર રાખવા જાઈએ, તેમજ આપનુ બાળક શાળાએ ક્યારે પહોંચે છે તેની પણ તપાસ વાલીઓએ કરવી જાઈએ વધુમાં આચાર્યએ શાળાની વિવિધ પ્રવૃતિ, શાળાનું આવતુ ઉચ્ચ પરિણામ તેમજ શિક્ષકો બાળકો પ્રત્યે કેટલા સજાગ છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.








































