ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ આગામી છ અઠવાડિયામાં પૂર્ણ થવાની ધારણા છે. આ પછી, અકસ્માત અંગેનો ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે. આ માહિતી એરક્રાફ્ટ અક્સીડેન્ટ ઈન્ગેવેસ્શટીન બ્યુરોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેના સોગંદનામામાં પૂરી પાડી હતી એએઆઇબીએ જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ માટે નિર્ધારિત તમામ પગલાં યોગ્ય રીતે અનુસરવામાં આવી રહ્યા છે.એએઆઇબીએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે અકસ્માતની ગંભીરતા, સ્કેલ અને તકનીકી જટિલતાને ધ્યાનમાં રાખીને તપાસ સુનિશ્ચિત કરવામાં આવી છે. જા અન્ય એજન્સીઓને સંડોવતા જરૂરી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ થાય છે, તો તપાસ આગામી છ અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે. તમામ તથ્યો અને તકનીકી તપાસના આધારે, ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા તેના સોગંદનામામાં, એએઆઇબીએ એમ પણ જણાવ્યું હતું કે ભારતીય કાયદા હેઠળ વિમાન અકસ્માતની તપાસ માટે નિર્ધારિત તમામ ૧૦ પગલાંનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. તપાસ નિયમો અનુસાર આગળ વધી રહી છે. એએઆઇબીએ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે કોકપીટ વોઇસ રેકોર્ડરમાંથી ઓડિયો રેકો‹ડગ અને વિમાનમાંથી અન્ય છબીઓ અથવા ઓડિયો રેકો‹ડગ જાહેર કરી શકાતી નથી. બ્યુરોએ જણાવ્યું હતું કે આવું કરવું કાયદા દ્વારા સખત પ્રતિબંધિત છે.એએઆઇબી મુજબ, આ નિયમો એ સુનિશ્ચિત કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે કે સાક્ષીઓ કોઈપણ દબાણ વિના સત્ય બોલી શકે, તપાસ એજન્સીઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે, અકસ્માતની નિષ્પક્ષ તપાસને અસર ન થાય અને ભારત તેની આંતરરાષ્ટÙીય જવાબદારીઓ પૂર્ણ કરી શકે.એએઆઇબી લાંબા સમયથી અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. સરકારે પણ છછૈંમ્ની તપાસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એએઆઇબીની તપાસમાં જાણવા મળ્યું છે કે ટેકઓફ થયાના થોડી જ સેકન્ડ પછી અન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો બંધ થઈ ગયા હતા.જૂન ૨૦૨૫ માં, એર ઈન્નીડિયા ફ્લાઇટ છૈં-૧૭૧ અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી. જાકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી જ વિમાન ક્રેશ થયું. વિમાન એરપોર્ટથી થોડા અંતરે સ્તથિ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયું. અહેવાલો અનુસાર, અકસ્માતમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂમાંથી ૨૪૧ લોકો મૃત્યુ પામ્યા હતા. વધુમાં, મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ૧૯ લોકોનું પણ મૃત્યુ થયું હતું.