સાવરકુંડલાના પીઠવડી ગામે વીજ વાયર તૂટીને વાડીના શેઢે પડતાં લાગેલી આગમાં ઘાસ, આંબા દાજી ગયા હતા.
આ અંગે ભૈતિકભાઈ મનસુખભાઈ સુહાગીયા (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમની વાડી નજીકની પસાર થતો ઈલેક્ટ્રિક વાયર તૂટીને તેમની વાડીના શેઢે પડ્‌યો હતો. જેથી આગ લાગતાં જુવારના ઘાસ તથા વાડીમાં ઉભેલા આંબાઓ દાઝી ગયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર બી મારુ વધુ તપાસ કરી રહ્યા છે.