ઇશાન કિશન અને તિલક વર્મા માને છે કે ચેન્નાઈમાં દુલીપ ટ્રોફીની પાંચ દિવસીય ફાઇનલ પછી તરત જ દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી રમવી થોડી મુશ્કેલ હશે. તે કહે છે કે આ ફેરફાર છતાં, તે ટી ૨૦ ક્રિકેટમાં અનુકૂલન સાધવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દુલીપ ટ્રોફી ૨૦૨૬ ની ફાઇનલ પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોન વચ્ચે રમાશે. પૂર્વ ઝોનનું નેતૃત્વ ઇશાન કિશન કરશે, અને દક્ષિણ ઝોનનું નેતૃત્વ તિલક વર્મા કરશે.ઇશાન કિશન અને તિલક વર્મા ઉપરાંત, પૂર્વ ઝોનના ઉપ-કપ્તાન વૈભવ સૂર્યવંશી પણ વ્યસ્ત શેડ્યૂલનો સામનો કરશે. દુલીપ ટ્રોફી ફાઇનલના અંત અને અફઘાનિસ્તાન સામેની ટી ૨૦ શ્રેણીની શરૂઆત વચ્ચે તેમની પાસે ફક્ત ત્રણ દિવસનો સમય હશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી ૨૦ શ્રેણીની પ્રથમ મેચ ૧૩ સપ્ટેમ્બરે રમાશે.બીસીસીઆઇએ આ મેચ માટે ટીમ ઇન્ડિયાની પણ જાહેરાત કરી છે.
ચેપોક ખાતે દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા ઇશાન કિશનએ કહ્યું કે ખેલાડી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તે કયા ફોર્મેટમાં રમી રહ્યો છે તે સમજવું. તેણે સ્વીકાર્યું કે જ્યારે તમે અચાનક ટેસ્ટ મેચથી ૨૦ માં સંક્રમણ કરો છો, જ્યાં તમારે પહેલા જ બોલથી મોટા શોટ રમવાની જરૂર હોય છે, ત્યારે તે થોડું પડકારજનક હોઈ શકે છે. જા કે, તે માને છે કે એક વ્યાવસાયિક ખેલાડી તરીકે, પરિસ્થિતિઓને અનુરૂપ થવું તેમનું કામ છે, અને તમારા વ્યસ્ત સમયપત્રકને અગાઉથી જાણવાથી બહાના માટે કોઈ જગ્યા રહેતી નથી.
કિશને વધુમાં જણાવ્યું કે બહાના બનાવવાને બદલે, ખેલાડીઓ માટે આગળ શું છે તે માટે માનસિક રીતે તૈયાર રહેવું વધુ સારું છે. તેણે ઉમેર્યું કે દુલીપ ટ્રોફી પછી, તેઓ ટી ૨૦ રમશે, જ્યાં તેમની ભૂમિકા સંપૂર્ણપણે અલગ હશે. જા કે, અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ પહેલા બે દિવસની પ્રેક્ટિસ તેમને અનુકૂલન કરવામાં મદદ કરવા માટે પૂરતી હશે.તિલક વર્મા કહે છે કે છેલ્લા ચાર મહિનાના અનુભવને કારણે, તે કોઈપણ ફોર્મેટમાં રમવા માટે તૈયાર છે. તેમનું માનવું છે કે ઘરેલુ ક્રિકેટમાં તમામ પ્રકારના વાતાવરણમાં રમવાથી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવાનું સરળ બને છે. જાકે પાંચ દિવસની મેચ રમ્યા પછી તરત જ ટી ૨૦ ટીમમાં જાડાવું થોડું મુશ્કેલ હશે, પરંતુ દિલ્હી પહોંચ્યા પછી બે દિવસનો આરામ અને પ્રેક્તીસનો સમય મળવાથી વસ્તુઓ સરળ બનશે. હું જાણું છું કે સતત મેચ રમવા માટે મારા મનને કેવી રીતે તૈયાર કરવું.















































