કેન્દ્ર સરકારની કેબિનેટ નિયુક્ત સમિતિએ દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ના ઉચ્ચ વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર કર્યો છે. ૧૯૯૮ બેચના ગુજરાત કેડરના અનુભવી અને પ્રતિષ્ઠિત આઇપીએસ અધિકારી રાજીવ રંજન ભગતને એસપીજીના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

કર્મચારી વિકાસ વિભાગ દ્વારા ૧ જૂન, ૨૦૨૬ના રોજ જારી કરવામાં આવેલા આદેશ મુજબ, રાજીવ રંજન ભગત ચાર્જ સંભાળવાની તારીખથી મે ૨૦૨૭ સુધી આ પદ પર કાર્યરત રહેશે. તેઓ હાલમાં એસપીજીમાં જ ઇન્સ્પેક્ટર જનરલ તરીકે કાર્યરત છે અને તેમની ડેપ્યુટેશન અવધિ પણ અગાઉ વિસ્તારિત કરવામાં આવી હતી.રાજીવ રંજન ભગત ગુજરાત પોલીસ સેવામાં તેમની લાંબી અને ઉત્કૃષ્ટ સેવાઓ માટે જાણીતા છે એસપીજીમાં તેઓ અગાઉ ઇન્સ્પેક્ટર જનરલ તરીકે લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેમના આઇજી કાર્યકાળ દરમિયાન વડાપ્રધાનની સુરક્ષા પ્રોટોકોલ્સને વધુ આધુનિક અને અસરકારક બનાવવામાં તેમનું મુખ્ય યોગદાન રહ્યું છે.તેઓ નવીનતમ સુરક્ષા તકનીકો, ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ, થ્રેટ અસેસમેન્ટ અને હાઈ-રિસ્ક મિશનના અમલમાં તેમની કુશળતા માટે વખાણાયા છે. તેમની નીડરતા, વ્યવસાયિક કુશળતા અને લીડરશિપ ક્ષમતાને જોતાં જ આ પ્રમોશન આપવામાં આવ્યું છે