કોઈપણ વિદ્યાશાખાના ભાઈ-બહેનો ભાગ લઈ શકશે
અમરેલી, તા.૩૧
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ-અમરેલી ખાતે ૨ સપ્ટેમ્બરને સોમવારના રોજકે. કે પારેખ કોમર્સ કોલેજમાં સોમવારે ICICI બેંક દ્વારા ભરતી મેળો યોજાશે  બેંક દ્વારા રીલેશનશિપ મેનેજરની પોસ્ટ માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક/અનુસ્નાતક ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપી શકે છે. લાયકાત ધરાવતા તેમજ ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ સોમવાર ૨ સપ્ટેમ્બરે, સવારે ૧૦.૦૦ કલાકે કે. કે. પારેખ કોમર્સ કોલેજ, લાઠી રોડ-અમરેલી ખાતે અભ્યાસને લગતા તમામ આધાર પુરાવાઓ તથા બાયોડેટાની નકલ સાથે ઉપસ્થિત રહેવા આઈ.ક્યુ.એ.સી.ના કો-ઓર્ડિનેટર પ્રા. ભારતીબેન ફીણવિયાએ જણાવ્યું છે.