વડીયા ગામની સીમમાં આવેલી હરીભાઈ શામજીભાઈ રાણપરીયાની વાડીએથી એક પરપ્રાંતીય યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં કોહવાઈ ગયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે હાલ રાજકોટના જેતપુર તાલુકાના ચારણ સમઢીયાણા ગામે ભરતભાઈ રામાણીની વાડીએ રહેતા ગુડા ગન્જાભાઈ સોલંકીની માનસિક સ્થિતિ સારી નહોતી. જેથી પોતાનાં રહેણાંક ઝુંપડેથી ભાગી ગયા હતા અને બાદ પોતાનાં મોબાઇલ ફોનથી પરિવારનાં સભ્યોને વાતચીત કરી અને કહેતો હોય કે મને કયાંય જીવવું ગમતું નથી. જે બાદ વડીયા ગામની સીમમાં આવેલી હરીભાઇ રાણપરીયાની વાડીએ આવેલ પીપળાનાં ઝાડ પર ચડીને ગળાફાંસો ખાઇ લેતા મરણ
પામ્યા હતા અને લાશ કોહવાઇ તથા ફુલી ગયેલી હાલતમાં મળી આવી હતી.