ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને વિશ્વ હિન્દુ પરિષદનાં સેવા વિભાગના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે દંતયજ્ઞ વિશ્વ હિન્દુ પરિષદનાં જિલ્લા અધ્યક્ષ ઇતેશભાઈ મહેતાનાં પ્રમુખ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિભાગ સેવા પ્રમુખ ભરતભાઈ રાદડીયા, વિશ્વ હિન્દુ પરિષદનાં જિલ્લા સેવા પ્રમુખ યુવરાજસિંહ પલવાર, જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, ચિતલ વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખ રમેશભાઇ સોરઠીયા, વી.ડી. લીબાસિયા, સંજય લીબાસિયા, જે.બી. દેસાઈ, કનુભાઈ ચાવડા, બિપીનભાઈ દવે વગેરે હાજર રહ્યાં હતાં. આ કેમ્પમાં ડા.સેજલબેન રામાવતે સેવા આપી હતી. આ યજ્ઞને સફળ બનાવવા હરેશભાઈ બાબરીયા, દિનેશભાઈ મેસિયાએ જહેમત ઉઠાવી હતી.