સાવરકુંડલામાં આજરોજ વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આજે સવારે ૧૦ઃ૦૦ થી સાંજના ૫ઃ૦૦ કલાક સુધી મહાલક્ષ્મી મંદિર ગાંધી ચોક સાવરકુંડલા ખાતે માળી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ સાવરકુંડલા દ્વારા આ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે. આ નિદાન કેમ્પમાં ગોઠણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ગેસ, એસીડીટી, કબજિયાત, નિઃસંતાનપણું, ડાયાબીટિસ, શારીરિક નબળાઈ સહિતની સમસ્યાઓ માટે રાજકોટના નામાંકિત ડો.સંદીપ કવાની ટીમ દ્વારા નિદાન કરવામાં આવશે તો આ કેમ્પમાં વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.