ગુજરાતમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને હવે આંદોલનના અેંધાણ જાવા મળી રહ્યા છે. લાંબા સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરી રહેલા મધ્યાહન ભોજનના કર્મચારીઓની માંગણીઓ પર સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના કારણે કર્મચારીઓમાં નારાજગી જાવા મળી રહી છે. હવે જા સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો કર્મચારીઓ આંદોલનના રસ્તે જવાની તૈયારીમાં છે.
મળતી માહિતી મુજબ, મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓને લઈને સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ બાળકો માટે મધ્યાહન ભોજનની કામગીરી સાથે જાડાયેલા છે અને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પર ધ્યાન આપવામાં આવતું નથી. સરકાર તરફથી માંગણીઓ અંગે નિર્ણય ન આવતા હવે કર્મચારીઓએ હડતાળની ચીમકી આપી છે.
મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે જા સરકાર તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં કરે તો તેઓ ગાંધીનગર ખાતે એકઠા થઈને પોતાના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવશે. આ આંદોલન દ્વારા સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
કર્મચારીઓની સૌથી મોટી માંગ લઘુત્તમ વેતનને લઈને છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓની માગ છે કે તેમને ઓછામાં ઓછું ૩૦ હજાર રૂપિયા લઘુત્તમ વેતન આપવામાં આવે. કર્મચારીઓનું કહેવું છે કે આજના સમયમાં મોંઘવારી વધી રહી છે અને તેમની મહેનતને ધ્યાનમાં રાખીને યોગ્ય વેતન મળવું જરૂરી છે. તેથી ૩૦ હજાર રૂપિયાનું લઘુત્તમ વેતન આપવાની તેમની મુખ્ય માંગ છે.
આ ઉપરાંત મધ્યાહન ભોજનના કર્મચારીઓએ વીમા અથવા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ૪ લાખ રૂપિયા આપવાની પણ માંગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે કામ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેમના પરિવારને આર્થિક સુરક્ષા મળી શકે તે માટે વીમાની વ્યવસ્થા હોવી જરૂરી છે. જા વીમાની વ્યવસ્થા ન કરવામાં આવે તો મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ૪ લાખ રૂપિયાની મદદ આપવાની પણ તેમની માંગ છે.
મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા કીટ આપવાની પણ માંગ કરવામાં આવી છે. બાળકો માટે ભોજન બનાવવાની અને પીરસવાની કામગીરી દરમિયાન સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી હોવાથી કર્મચારીઓ માટે જરૂરી સ્વચ્છતા કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી તેમની માંગ છે. આ રીતે લઘુત્તમ ૩૦ હજાર રૂપિયાનું વેતન, વીમો અથવા મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ૪ લાખ રૂપિયાની સહાય અને સ્વચ્છતા કીટ સહિતની વિવિધ માંગણીઓ મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પડતર માંગણીઓ પર નિર્ણય ન લેવાતા હવે કર્મચારીઓમાં નારાજગી વધી રહી છે.
કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરવામાં આવશે અને જરૂર પડે તો હડતાળ પણ કરવામાં આવશે. જેના કારણે રાજ્યમાં વધુ એક આંદોલન થવાની શક્્યતા ઊભી થઈ છે. હવે સરકાર મધ્યાહન ભોજનના કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.