ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અને તેલંગાણા પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મોહમ્મદ સિરાજે તેલંગાણા ડીજીપી સી.વી. આનંદ સાથે સૌજન્ય મુલાકાત કરી. આનંદ મે મહિનામાં ડીજીપી બન્યા પછી સિરાજની આ પહેલી મુલાકાત હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ હાજર હતા.ડીજીપી ઓફિસ ખાતે યોજાયેલી આ બેઠકમાં પોલીસ હેડક્વાર્ટરના ઇન્સ્પેક્ટર જનરલ (પી એન્ડ આઈ) ગજરાવ ભૂપાલ અને ડીએસપી (સ્પોર્ટ્‌સ) રામા રાવ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજે ઓક્ટોબર ૨૦૨૪માં તેલંગાણા પોલીસમાં સત્તાવાર રીતે ડીએસપીનું પદ સંભાળ્યું હતું.ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં ભારતની જીત બાદ સિરાજને આ સન્માન મળ્યું હતું. ટીમ ઇÂન્ડયાની ઐતિહાસિક જીત બાદ મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ સિરાજ માટે સરકારી નોકરી અને રહેણાંક પ્લોટની જાહેરાત કરી હતી. ત્યારબાદ, ઓગસ્ટ ૨૦૨૪માં, રાજ્ય કેબિનેટે સિરાજ અને વિશ્વ ચેમ્પિયન બોક્સર નિખત ઝરીનને ગ્રુપ-૧ ડીએસપી-રેન્ક પદ આપવાનો નિર્ણય લીધો. રાજ્ય સરકારે નિમણૂકો માટે માર્ગ મોકળો કરવા માટે સંબંધિત કાયદામાં સુધારો કર્યો. સિરાજને હૈદરાબાદના પ્રતિષ્ઠિત જ્યુબિલી હિલ્સમાં રોડ નંબર ૭૮ પર ૬૦૦ ચોરસ યાર્ડનો પ્લોટ પણ ફાળવવામાં આવ્યો હતો.મોહમ્મદ સિરાજ હાલમાં ટીમ ઇન્ડિયાની બહાર છે. તેણે ટીમ ઈન્ડિયા માટે જૂન ૨૦૨૬ માં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. ન્યૂ ચંદીગઢમાં રમાયેલી આ મેચમાં, મોહમ્મદ સિરાજ ખાસ કંઈ કરી શક્યા ન હતા, તેમણે ફક્ત એક વિકેટ લીધી હતી. સિરાજ લાંબા સમયથી મર્યાદિત ઓવરની ટીમની બહાર છે. તેણે ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ઈન્દોરમાં ન્યુઝીલેન્ડ સામે પોતાની છેલ્લી વનડે રમી હતી. તેણે છેલ્લે ૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે યુએસએ સામે ટી૨૦ રમી હતી.આઇપીએલ ૨૦૨૬ માં સિરાજનું પ્રદર્શન વધુ સારું હતું. તેણે ગુજરાત ટાઇટન્સ સામે ૧૭ મેચમાં ૨૯.૫૭ ની સરેરાશથી ૧૯ વિકેટ લીધી હતી, જેનાથી તે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં સાતમા ક્રમે છે. હવે, સિરાજ શક્ય તેટલી વહેલી તકે ટીમ ઇન્ડિયામાં પાછા ફરવાનું લક્ષ્ય રાખશે.