જનરલ એનએસ રાજા સુબ્રમણીએ રવિવારે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમને પાકિસ્તાન અને ચીન બાબતોના અગ્રણી નિષ્ણાત માનવામાં આવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય મહત્વાકાંક્ષી ‘લશ્કરી થિયેટરાઇઝેશન’ યોજનાને અમલમાં મૂકવાનો અને ત્રણેય સેવાઓ વચ્ચે સંકલનને મજબૂત બનાવવાનો છે.
તેઓ જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લે છે. જનરલ સુબ્રમણીએ તેમના પુરોગામી, સ્વર્ગસ્થ જનરલ બિપિન રાવત અને જનરલ અનિલ ચૌહાણના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. જનરલ ચૌહાણ દેશના સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી શનિવારે નિવૃત્ત થયા. જનરલ સુબ્રમણીએ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી હતી. તેઓ ગયા વર્ષે ૩૧ જુલાઈના રોજ આર્મી સ્ટાફના ઉપાધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા.
પદ સંભાળ્યા પછી, જનરલ સુબ્રમણિએ તેમની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી. તેમણે જણાવ્યું હતું કે તેમનું પ્રાથમિક ધ્યાન સશસ્ત્રી દળોમાં પરિવર્તન અને સંગઠનાત્મક સુધારા પર રહેશે. તેઓ પ્રધાનમંત્રીના જેએઆઇ વિઝનને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં સંયુક્તતા, આત્મનિર્ભરતા અને નવીનતાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓની તાલીમ અને કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.
જનરલ સુબ્રમણ્યે જણાવ્યું હતું કે “આત્મનિર્ભરતા” એ આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો પાયો છે. તેઓ સ્વદેશી શસત્રોના વિકાસ અને લશ્કરમાં સમાવેશને વેગ આપશે. આધુનિકીકરણ માટે સૈન્ય, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ક્ષેત્ર વચ્ચે સહયોગ વધારવામાં આવશે. તેમણે નિવૃત્ત સૈનિકો અને “વીર મહિલાઓ” ના કલ્યાણની પણ ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રાષ્ટ્ર ભારતની સુરક્ષાને મજબૂત બનાવવા માટે એકજૂથ છે.
તેમણે દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય સેનાએ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કર્યું છે. તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી જેમના બલિદાન પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને ખાતરી આપી હતી કે સશસ્ર દળો સમર્પણ, હિંમત અને સન્માન સાથે રાષ્ટ્રની સેવા કરવાનું ચાલુ રાખશે. સીડીએસ તરીકે તેમની સૌથી મોટી જવાબદારી એકીકૃત લશ્કરી કમાન્ડ સ્થાપિત કરવાની છે.
જનરલ સુબ્રમણીની લશ્કરી કારકિર્દી ૪૦ વર્ષથી વધુ સમય સુધી ચાલે છે. તેમણે વિવિધ ક્ષેત્રો અને સંઘર્ષોમાં સેવા આપી છે. તેમણે ૧ જુલાઈ, ૨૦૨૪ થી ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધી આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપી હતી. આ પહેલા, તેમણે માર્ચ ૨૦૨૩ થી જૂન ૨૦૨૪ સુધી સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી અને ઇન્ડીયન મિલિટરી એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ૧૪ ડિસેમ્બર, ૧૯૮૫ ના રોજ ગઢવાલ રાઇફલ્સની ૮મી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું.
તેમણે યુકેમાં જાઈન્ટ સર્વિસીસ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજ અને નવી દિલ્હીમાં નેશનલ ડિફેન્સ કોલેજમાં પણ અભ્યાસ કર્યો છે. તેમણે કિંગ્સ કોલેજ લંડનમાંથી એમએ અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમફિલની ડિગ્રી મેળવી છે. તેમણે આસામમાં ઓપરેશન રાઇનો દરમિયાન ૧૬ ગઢવાલ રાઇફલ્સનું નેતૃત્વ કર્યું હતું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ૧૬૮ ઇન્ફન્ટ્રી બ્રિગેડ અને સેન્ટ્રલ સેક્ટરમાં ૧૭ માઉન્ટેન ડિવિઝનનું નેતૃત્વ કર્યું હતું. તેમણે બે કોર્પ્સનું પણ નેતૃત્વ કર્યું હતું, જેમાં પશ્ચિમી મોરચા પર સેનાના મુખ્ય સ્ટ્રાઇક કોર્પ્સનો સમાવેશ થાય છે.
તેમના અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓમાં કઝાકિસ્તાનમાં ડિફેન્સ એટેચી અને મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટરનો સમાવેશ થાય છે. તેમની સેવામાં ડિવિઝનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલનો હોદ્દો શામેલ છે. તેમણે પૂર્વીય કમાન્ડમાં બ્રિગેડિયર જનરલ સ્ટાફ (ઓપરેશન્સ) અને ઉત્તરી કમાન્ડના મુખ્ય મથકમાં ચીફ ઓફ સ્ટાફ તરીકે પણ સેવા આપી હતી. તેમની વિશિષ્ટ સેવા માટે, તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.








































