૨૬ જાન્યુઆરી એ અવિસ્મરણીય સ્મૃતિઓનુ પ્રજાસત્તાક પર્વ છે. એક હિન્દી કવિએ એના ઐતિહાસિક મહત્વનુ  ગૌરવભરી  રજુઆત કરી છે..
“૨૬ જનવરી
યહ પવિત્ર પ્રસંગ પર્વ હૈ..
સ્મૃતિઓ કા ત્યૌહાર હે યહ…
ન જાને કિતની બાર આયા હૈ યહ..
ન જાને કિતની બાર આયેગા યહ..”
      ભારત એ લોકતાંત્રિક દેશ છે. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશને આઝાદી મળી, પરંતુ એ પહેલાં સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોમાં ડિસેમ્બર ૧૯૨૯મા લાહોર ખાતે પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું, જેમાં આઝાદી આંદોલનની એક માત્ર સંસ્થા તરીકે કોંગ્રેસે સંપૂર્ણ સ્વરાજ્યની પોતાના ધ્યેયની માંગણી કરી હતી અને અધિવેશનમાં ઠરાવ કર્યા મુજબ ૧૯૩૦ની ૨૬ જાન્યુઆરી અને ત્યાર પછીના દરવર્ષે એ દિવસને “સ્વાતંત્ર્ય સંકલ્પ દિવસ” તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવ્યું હતું. આઝાદી પછી બંધારણ સભા અસ્તિત્વમાં આવી. આ બંધારણ સભા દ્રારા ઘડવામાં આવેલું ભારતનું નૂતન બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી અમલમાં આવ્યું.
    આજે વિશ્વમાં એક સબળ, સશક્ત, સંસદીય લોકતાંત્રિક દેશ તરીકે ભારતની ઓળખ છે, પ્રતિષ્ઠા અને પ્રભાવ છે. ૨૬ જાન્યુઆરીને  પ્રજાતંત્ર, ગણતંત્ર, લોકતંત્ર અથવા પ્રજાસત્તાક પર્વ સ્વરૂપે સ્મરણ કરીએ છીએ. આ રાષ્ટ્રીય અવસરને સવિશેષ ઔચિત્ય અને મહત્વ આપવાના હેતુથી દરવર્ષે ૨૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે.‌ પરંતુ એનું માત્ર રાજકીય મહત્વ જ નથી, ઔતિહાસિક અને ગૌરવપૂર્ણ મહત્વ છે. ૧૧૬૪થી તેનો પ્રારંભ થાય છે… તો આવો.. આ પ્રજાસત્તાક પર્વનો પ્રાચીનથી અર્વાચીન મહત્વતા જાણીએ.
* ૨૬ , જાન્યુઆરી, ૧૧૬૪ ના દિવસે વિસલ દેવે દિલ્હી પર અધિકાર કર્યોં. ત્યારથી આજ સુધી દિલ્હીમાં કેટકેટલા શાસનનો સૂર્યોદય અને સૂર્યાસ્ત થયો છે.
* ૨૬ જાન્યુઆરી, ૧૧૭૫માં મોહંમદ ધોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે શરુ થઇ,એવા યુધ્ધથી ઈતિહાસ પરિચત જ છે. “ચાર વાંસ ચોવીસ ગજ, અંગૂલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હૈ, મત ચૂકે ચૌહાણ” મોહંમદ ધોરી ના દરબારમાં મહાકવિ ચંદનબાર દાઈએ એવી કવિતા સંભળાવી કે એના અનુમાન પર ચૌહાણનો શબ્દભેદી બાણ મોહંમદ ધોરીના કંઠને ચીરતો આગળ નીકળી ગયો.
* ૨૬ જાન્યુઆરી, ૧૨૯૯ના દિવસે અલ્લાઉદ્દીન ખિલજીએ રણથંભોર કિલ્લાની નાકાબંધી કરી.
* ૨૬ જાન્યુઆરી, ૧૩૩૩માં વિશ્ર્વ પ્રવાસી ઈન્દ્ર બતુતા ભારત પહોંચ્યો હતો અને ભારતનો સર્વાગી અભ્યાસ કર્યો હતો.
* ૨૬ જાન્યુઆરી ૧૫૩૦ના  રોજ બરાબર બાદશાહનું અવસાન થયું. એ પછી બરાબર ૨૪ વર્ષે ૧૫૫૪માં ૨૬ જાન્યુઆરીએ જહાંગીર બાદશાહનો જન્મ થયો હતો.
*૨૬ જાન્યુઆરી, ૧૫૫૬નિ દિવસે તાજમહેલના સ્થાપક શાહજહાંનુ અવસાન થયું હતું.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ ના રોજ ભારતમાં પ્રથમ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ ના રોજ ભારતમાં બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ યોજી.
*૨૬ જાન્યુઆરી, ૧૯૪૨ના મંગલ દિવસે નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની રચના કરી.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૪૯ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણને આખરી ઓપ આપ્યો હતો.
* ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજથી ભારતમાં બંધારણનો અમલ શરૂ થયો હતો.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. એ જ દિવસે ઉત્તરપ્રદેશ રાજ્યની સ્થાપના થઇ.
* ૨૬ જાન્યુઆરી, ૧૮૫૩ ના દિવસે ભારતમાં પ્રથમ રેલલાઈન શરુ થઇ.
* ૨૬ જાન્યુઆરી,૧૮૮૨મા ટેલિફોન – દૂરભાષ સેવાનો મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં પ્રારંભ કરવામાં આવ્યો.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૫૮માં ઈન્કમટેકસ ભારતમાં લાગુ કરવામાં આવ્યો.
* ૨૬ જાન્યુઆરી, ૧૮૬૯માં બે મહાસાગરને જોડતી વિશ્ર્વ પ્રસિદ્ધ સુએઝ નહેરનું નિર્માતા થયું.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૮૪માં બ્રિટિશ બ્રોડ કાસ્ટિગ કંપનીની લંડનમાં સ્થાપના થઇ. આજે પણ સત્તાવાર સમાચાર આવે વિશ્વસનીય કાર્યક્રમોના પ્રસારણમાં બી.બી.સી. પ્રચાર માધ્યમ તરીકે અગ્રેસર છે.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૬૦ના દિવસે કાશ્મીરને વિશેષ દરજ્જો અને હક આપતી બંધારણની કલમ ૩૭૦ લાગુ કરવામાં આવી હતી, જેને તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે તેને નાબુદ કરીને કાશ્મીરનું ભારત સાથે સંપૂર્ણ એકીકરણ કર્યું છે.
      વિશ્વના કોઈપણ દેશના પ્રજાસત્તાક પર્વના નિર્માણ સાથે આવી ઐતિહાસિક દસ્તાવેજ જેવી ધટનાઓ ભાગ્યે જ સંકલિત હશે.
અને છેલ્લે…
“હમ પંજાબી, હમ ગુજરાતી,
બંગાલી, મરાઠી, મદ્રાસી હૈ,
પર હમ ઈન સબ સે પહલે,
કેવલ ભારતવાસી હૈ,
હમ કેવલ ભારતવાસી હૈ..
૨૬  જાન્યુઆરી એ આટલું યાદ રાખીએ તો પણ માં ભારતીને વંદન સમાન છે.
જય ભારત… ભારત માતા કી જય…