ઉનાની શાહ એચ.ડી. હાઇસ્કૂલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૫ની ઉજવણી જિલ્લા નોડેલ અધિકારીના અધ્યક્ષ સ્થાને કરાયેલ હતી. આ તકે જિલ્લા નોડેલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી એમ. પી. બોરીચા, નાયબ મામલતદાર હિતેશભાઈ બાંભણીયા તથા હાઈસ્કૂલના આચાર્ય ડા. કે.જે. ગોસ્વામી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ ઉપરાંત બોરીચાએ પ્રાસંગિક સંબોધન કરેલ. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ સેકટર ઓફિસર ત્રિપાઠી, ડાભી અને શ્રેષ્ઠ બી.એલ.ઓ. સોસા અને અલ્પેશભાઈને પ્રમાણપત્ર-એવોર્ડ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવેલ.