ભારત અને સુરીનામે રાજદ્વારી સંબંધોના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે વિદેશ મંત્રી એસ. જયશંકર સુરીનામની મુલાકાતે છે. તેમણે રાજધાની, પેરામારિબોમાં કહ્યું કે ભારત સુરીનામને “દૂરના ભાગીદાર” તરીકે નહીં પરંતુ “પરિવાર” તરીકે જુએ છે. બંને દેશો રાજદ્વારી સંબંધોના ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જયશંકરે બુધવારે સુરીનામની મુલાકાત પહેલા ટાઇમ્સ ઓફ સુરીનામ અખબારમાં લખ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો હવે “મજબૂત અને બહુપક્ષીય” બન્યા છે, જેમાં માળખાગત સુવિધાઓ, વેપાર, તાલીમ અને સાંસ્કૃતિક સંબંધોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે ભારત-સુરીનામ સંબંધો કૌટુંબિક બંધનોથી બંધાયેલા છે. બંને દેશોએ ઉચ્ચ-સ્તરીય આદાન-પ્રદાન દ્વારા સહયોગને મજબૂત બનાવ્યો છે, જેમાં ૨૦૨૩ માં ભારતીય ડાયસ્પોરા પરિષદ માટે સુરીનામના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીની ભારત મુલાકાત અને તે જ વર્ષે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરીનામની મુલાકાતનો સમાવેશ થાય છે. જયશંકરે લખ્યું છે કે ભારતીય ક્રેડિટ લાઇન હેઠળ સુરીનામમાં અનેક પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે, જેમાં ઔદ્યોગિક બંદર શહેર પરનામથી રાજધાની પરમારિબો સુધી ૧૬૧ પાવર ટ્રાન્સમિશન લાઇન, એક વોટર પÂમ્પંગ સ્ટેશન, બાંધકામ મશીનરી, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ અને ત્રણ ચેતક હેલિકોપ્ટરનો પુરવઠો અને જાળવણીનો સમાવેશ થાય છે.
જયશંકરે જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે ખાદ્ય સુરક્ષાને ટેકો આપવા માટે સુરીનામને ૪૨૫ મેટ્રિક ટન ખાદ્ય અનાજ (આશરે ૧૦ મિલિયનનું મૂલ્ય) પૂરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે ભારત-સમર્થિત ગ્રાન્ટ પ્રોજેક્ટ્સમાં પૂર ચેતવણી પ્રણાલી, એક સ્ટેડિયમ અને શિક્ષણ, રમતગમત અને તકનીકી તાલીમ સંબંધિત સમુદાય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. જયશંકરે એમ પણ કહ્યું હતું કે તેઓ ભારતીય ગ્રાન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા પેશન ફ્રૂટ પ્રોસેસિંગ અને પેકેજિંગ યુનિટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. “આ સ્થાનિક ખેડૂતોને સશક્ત બનાવશે અને મૂલ્યવર્ધિત ઉદ્યોગ દ્વારા સુરીનામની સ્વ-નિર્ભરતાને પ્રોત્સાહન આપશે,
આંતરરાષ્ટ્રીય સ્તરે, જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને સુરીનામ યુએન સુરક્ષા પરિષદ સુધારા સહિત ઘણા મુદ્દાઓ પર સમાન સ્થિતિ ધરાવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સૌર જાડાણ અને આંતરરાષ્ટ્રીય બિગ કેટ ગઠબંધન જેવી ભારત-સમર્થિત પહેલોમાં સુરીનામની ભાગીદારી પર પણ પ્રકાશ પાડ્યો. ભૌગોલિક અંતર હોવા છતાં, બંને દેશો ૧૮૭૩ માં ‘લલ્લા રૂખ’ જહાજ પર ભારતીયોના આગમનના ઇતિહાસથી જાડાયેલા છે. જયશંકરે લખ્યું કે ભારતીય સમુદાય સુરીનામના સમાજનો અભિન્ન ભાગ બની ગયો છે અને સરનામી હિન્દુસ્તાની ભાષા, વૈઠક સંગીત અને દિવાળી અને ફાગવા જેવા તહેવારો જેવી સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરે છે.
જયશંકરે કહ્યું કે સુરીનામે હિન્દી ભાષાને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે યાદ કર્યું કે દેશે ૨૦૦૩ માં પરમારિબોમાં વિશ્વ હિન્દી પરિષદનું આયોજન કર્યું હતું. ભારત સુરીનામને દૂરના ભાગીદાર તરીકે જાતું નથી; તે ભારતને પરિવાર તરીકે જુએ છે.








































