ભારતીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૬ સ્થાનિક સંસ્થાઓની બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. આ બધી બેઠકો માટે મતદાન ૧૮ જૂન, ૨૦૨૬ ના રોજ એકસાથે યોજાશે, અને ૨૨ જૂને પરિણામ જાહેર થશે. કમિશન અનુસાર, આ ૧૬ બેઠકો પર સભ્યોની મુદત અલગ અલગ તારીખે પૂરી થઈ હતી. સોલાપુર અને અહમદનગર બેઠકો જાન્યુઆરી ૨૦૨૨ માં ખાલી થઈ હતી. થાણે બેઠક જૂન ૨૦૨૨ માં ખાલી થઈ હતી, અને જલગાંવ, સાંગલી-સતારા અને નાંદેડ સહિત છ બેઠકો ડિસેમ્બર ૨૦૨૨ માં ખાલી થઈ હતી. ઔરંગાબાદ-કમ-જાલના બેઠક પર સભ્યનો કાર્યકાળ ૨૯ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સમાપ્ત થયો હતો.
માહિતી અનુસાર, ચૂંટણી પંચ ૨૫ મે ના રોજ ચૂંટણી સૂચના જારી કરશે. ઉમેદવારો ૧ જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૨ જૂને થશે અને ૪ જૂન સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. મતદાન ૧૮ જૂન, ગુરુવાર ના રોજ સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી થશે. મતગણતરી ૨૨ જૂન, સોમવારના રોજ થશે અને સમગ્ર પ્રક્રિયા ૨૫ જૂન સુધીમાં પૂર્ણ થશે.
ભારતના ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની નાગપુર સ્થાનિક સંસ્થા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ બેઠક માટે મતદાન ૧૮ જૂન, ૨૦૨૬ ના રોજ થશે અને પરિણામો ૨૨ જૂને જાહેર થશે. ભાજપના નેતા ચંદ્રશેખર કૃષ્ણરાવ બાવનકુલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા બાદ આ બેઠક ૨૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ ખાલી પડી હતી. સ્ન્ઝ્ર તરીકે બાવનકુલેનો કાર્યકાળ ૧ જાન્યુઆરી, ૨૦૨૮ સુધીનો હતો.
ઇસીઆઇના નિયમો અનુસાર, સ્થાનિક સંસ્થા ક્વોટા બેઠક માટે પેટાચૂંટણી ત્યારે જ યોજવામાં આવે છે જ્યારે ૭૫% સ્થાનિક સંસ્થાઓ કાર્યરત હોય અને ૭૫% મતદારો પદ પર હોય. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ કમિશનને જાણ કરી કે આ શરતો હવે પૂર્ણ થઈ ગઈ છે. આ પછી, પેટાચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો.






































