લાલપુરના નિવાસી અને આદર્શ શિક્ષક દંપતી રશ્મિનકુમાર સંઘાણી તથા ડિમ્પલબેન સોજીત્રાની લાડકી દીકરી જલક સંઘાણીએ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પોતાની અદભૂત પ્રતિભાનો પરિચય આપ્યો છે. જલકે ૯૯.૮૭ પી.આર. અને ૯૭ ટકા જેવું ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને સમગ્ર સંઘાણી પરિવાર, સોજીત્રા પરિવાર તેમજ પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે. દીકરીની આ અપ્રતિમ સિધ્ધિ બદલ બી.આર.સી. કો-ઓર્ડિનેટર વંદનાબેન જાની તથા સમગ્ર લાલપુર બી.આર.સી. પરિવાર તરફથી તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.